SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભકતનાં ચરિ ૧૦૭ વિદ્વાનેનું માનવું છે. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયની હિંદી પરિષદ પ્રગટ કરેલી કબીર-ગ્રંથાવલિ' વિદ્વાનો દ્વારા તેમની સૌથી વધારે અધિકૃત રચના માનવામાં આવે છે, જેમાં બસ પદ, સાડા સાત સાખીઓ અને બીજાં પણ ઘણું પદોને સમાવેશ થાય છે. તેમના પછી થયેલા અનેક ભક્ત સંતે એ મુક્ત કંઠે તેમની પ્રશંસા કરી છે. પરમતત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી, કબીરજી અને નરસિંહ મહેતા વિશે પિતાને આદરભાવ વ્યક્ત કરતાં કહે છેઃ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય કે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યા ગયે છે, તથાપિ તેમની દારિદ્રાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે, અને એ જ એમનું સબળ માહાત્ય છે. પરમાત્માએ એમના “પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઈચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઈચ્છા ન હોય, અને તેવી ઈચ્છા હોય તે રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય.” –શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક ૨૩૧ વર્તમાનકાળમાં ડા. શ્રી હજારીપ્રસાદ ત્રિવેદીએ કબીરજીના સાહિત્યને સારે અભ્યાસ કરેલ તથા શ્રી રવીન્દ્રનાથ ટાગેરે તેમનાં સો પદેને અંગ્રેજી અનુવાદ કરેલે; જેથી પાશ્ચાત્ય દેશમાં પણ કબીરજીનું સાહિત્ય પ્રચાર પામ્યું છે. કબીરજીએ પિતાના ઉપદેશમાં ભક્ત-સાધકને ઉપયોગી એવા વિધવિધ વિષય પર પ્રકાશ પાડ્યો છે. ધર્મ અને અધ્યાત્મજ્ઞાન, પ્રેમ અને ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યજીવન એ કેઈ એક જ મત, પંથ કે સંપ્રદાયને ઈજા નથી. ઊંચ-નીચ કે રાજારંક ઈત્યાદિના ભેદભાવ વિના સાદાઈ, સત્ય, સરળતા, સદાચાર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy