SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સંત-ભક્તોનાં ચરિત્ર પ્રચાર કર્યો અને ભલભલા વાદીઓને નિરુત્તર બનાવી ધર્મ-વિજ્ય પ્રાપ્ત કર્યો. તેમના આ મહાન કાર્યની અને સત્સાહિત્યની ભૂરિ ભૂરિ પ્રશંસા તેમના પછી થયેલા સર્વશ્રી જિનસેનાચાર્ય, શુભચન્દ્રાચાર્ય, વર્ધમાનસૂરિ, વાદિરાજસૂરિ, વિદ્યાનંદમુનિ, મુનિ વાદીભસિંહ, વસુનંદી આચાર્ય, ભટ્ટારક સકલકીર્તિ તથા શ્રીમદ્ રાજચન્દ્રજી આદિ અનેકાનેક મહાત્માઓએ કરેલી છે. આ ઉપરાંત અનેક શિલાલેખે પણ તેમની પુણ્યકતિનાં યશગાન ગાય છે. (૨) સસાહિત્ય નિર્માણ : આચાર્યશ્રીના રચેલા ગ્રંથ નીચે પ્રમાણે છે: ૧. બૃહત્ સ્વયંભૂતેત્ર ૨. સ્તુતિવિધ-જિનશતક ૩. દેવાગમસ્તેત્ર–આપ્તમીમાંસા ૪. યુકત્યનુશાસન પ. રનકરણ્ડકશ્રાવકાચાર ૬. જીવસિદ્ધિ ૭. તસ્વાનુશાસન ૮. પ્રાકૃત વ્યાકરણ ૯. પ્રમાણપદાર્થ ૧૦. કર્મપ્રાભૃત ટીકા અને ૧૧. ગંધહસ્તિ મહાભાષ્ય. આ ગ્રંથમાંથી પ્રથમ પાંચ ઉપલબ્ધ છે. આપણે તેમના વિષે થોડું જાણીએ જેથી સમભદ્રાચાર્યજીના ભક્તિરસમાં થોડું અવગાહન શક્ય બને. બૃહસ્વયંભૂતેત્રને ચતુર્વિશતિસ્તત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં તીર્થકરોની ક્રમશઃ ૧૪૩ પદ્યમાં સ્તુતિ કરવામાં આવી છે. પ્રત્યેક તીર્થકરની વિશિષ્ટતાનું વર્ણન કરવામાં ભાષા ને અલંકારની એવી રચના કરવામાં આવી છે કે તેથી પ્રત્યેક વર્ણન એક સુંદર સ્તુતિમય ભક્તિરસથી ભરપૂર વર્ણન બને છે ને ગાયક તથા શ્રોતાના મનને ડેલાવે છે. આ ગ્રંથનું પઠન નિત્ય કરવા જેવું છે. જિનશતકમાં ૨૪ તીર્થકરેની સ્તુતિ ૧૦૦ શ્લેકમાં ચિત્રકાવ્યના રૂપમાં, એક પ્રકારની વિશિષ્ટ શૈલીમાં કરવામાં આવી છે. ચક્ર, કમળ, મૃદંગ, ઈ. આકૃતિઓમાં અનેકાર્થી ગેય શબ્દોનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy