SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાગ ની આરાધના ઉપયેાગ કરીને કરવામાં આવી છે. સમન્તભદ્રજી કહે છે કે જિનેન્દ્ર ભગવાનની આરાધના કરનાર મનુષ્યના આત્મા આત્મીય તેજથી ઝગમગી ઊઠે છે. આવેા મનુષ્ય સર્વોત્કૃષ્ટ માનવી બને છે. અને તેને મહાન પુણ્યના સંચય થાય છે. .. દેવાગમસ્તેાત્ર અથવા આપ્તમીમાંસા સમંતભદ્રજીની યુગપ્રવર્તક કૃતિ છે. આ Ôાત્રમાં ૧૧૫ પદ્ય છે. આચાર્ય શ્રી અંધશ્રદ્ધાળુ નથી, પરંતુ શ્રદ્ધાને તની કસેાટી પર ચડાવીને સાચું અને શ્રદ્ધેય શું છે તેની આપણને પ્રતીતિ કરાવે છે. એકાન્તવાદી વિવિધ દર્શનાની આલાચના ભક્તિસભર પદોમાં કરવામાં આવી છે અને તે આલેાચના દ્વારા અનેકાન્તમત, સ્યાદ્વાદનું પ્રખળ સમર્થન કર્યું છે. આથી સ્યાદ્વાદના વિસ્તૃત વિવરણ અને સમર્થનના આ પ્રથમ ગ્રંથ લેખવામાં આવે છે. ચુકત્યનુશાસનમાં ભગવાન મહાવીરનું ૬૪ પદામાં સ્તવન કરવામાં આવ્યું છે અને તે સ્તવનની અંદર એકાન્તવાદી દર્શનાના દોષની સ્પષ્ટતા કરતાં વીરપ્રભુના અનેકાન્તાત્મક સર્વોદય તીર્થના ગુણાની સ્પષ્ટતા કરવામાં આવી છે. રત્નકરણ્ડક-શ્રાવકાચારનાં ૧૫૦ પદેામાં શ્રાવકના આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનું વિવેચન કરી ૧૧ પ્રતિમાઓ તથા સમાધિમરણના પણ શ્રાવકધર્મમાં સમાવેશ કરેલ છે. બુદ્ધિવાદી દષ્ટિકેણુથી આલેાચના કરવાથી મનુષ્ય નૈતિકતાના માહાત્મ્યને સારી રીતે પિછાની શકે છે અને તેના પ્રત્યે તેને રુચિ ઉત્પન્ન થાય છે. આચાર્યશ્રીની માન્યતા પ્રમાણે મનની સાધના હૃદયના પરિવતનમાં પરિણમે તા જ સાચી સાધના છે. બાહ્ય આચારામાં આડંબરની છાંટ હોય છે. ચાંડાલને ત્યાં જન્મ લેનારમાં પણ સમ્યક્દર્શનને ઉર્દૂભવ થાય તે દેવા પણ તેને દેવસમાન માને છે. આ ગ્રંથમાં મુખ્યત્વે આટલી વાતાના નિર્દેશ છે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy