SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિના વિવિધ પ્રકારે કરવી. આ ઓળખાણ કરવા માટે સાચા ભક્તના ગુણે જીવનમાં કેળવવા અને ગુરુનાં વચનમાં દઢ શ્રદ્ધા રાખવી. વળી તેમને વારંવાર સમાગમ કરી, ગુરૂગમ દ્વારા પ્રાપ્ત થયેલી સુયુક્તિથી અને ગુણાનુરાગથી ગુણગ્રાહકપણું કેળવવું જેથી થડા કાળમાં જ ભક્તિમાર્ગની આરાધનામાં દઢ નિષ્ઠા ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભક્તિયુક્તિ-શક્તિના ત્રિવેણી સંગમથી શુદ્ધ અને દઢ શ્રદ્ધાને ઉદય થાય છે. મને વિજ્ઞાનને એ નિયમ છે કે મનુષ્યને જે વ્યક્તિ કે વસ્તુમાં અંતરંગ શ્રદ્ધા હોય, એટલે કે આ વ્યક્તિ કે વસ્તુથી મને અવશ્ય ખૂબ લાભ થશે એવી આંતરિક માન્યતા દૃઢ થઈ હોય, તે વ્યક્તિ કે વસ્તુનું તેને ચિંતન કે સ્મરણ રહ્યા જ કરે છે. મતલબ કે “આ મારું છે,” “મને હિતકર છે એવી બુદ્ધિ (આસપણાને ભાવ) જ્યાં ઊપજી ત્યાં તે વ્યક્તિ કે વસ્તુમાં પ્રીતિ ઊપજતી જાય છે જે થોડા વખતમાં વર્ધમાન થઈ તન્મયતાને પ્રાપ્ત કરાવે છે. - રેજ-બરોજના જીવનમાં આ પ્રકારે બનતાં ઘણું દષ્ટાંતે આપણે પ્રત્યક્ષ પણ અનુભવીએ છીએ અને શાસ્ત્રોમાં પણ તેનું વિશદ વર્ણન આવે છે. આપણું દીકરી કે બહેનનું સગપણું નક્કી થઈ જતાં તેને વ્યક્તિત્વમાં જે આમૂલ પરિવર્તન આવે છે તેનાથી આપણે સુપરિચિત છીએ. તેની ભક્તિ, યુક્તિ અને શક્તિએ તેના અંતરંગ પ્રેમની દિશાને એ વળાંક આપે છે કે તેની સ્મૃતિ હવે આપણું ઘર કરતાં તેના ભાવિ ઘરમાં વિશેષપણે રહ્યા કરે છે. આ બનાવ જેના જેના જીવનમાં બને છે તેને જીવનમાં આવું જ પરિવર્તન આવે છે. જંગલમાં દૂર દૂર ચારે ચરતી ગાયની દષ્ટિ વાછરડામાં, પાંચ-સાત સાહેલીઓ સાથે વાત કરતી પનિહારીની નજર તેના બેડામાં, દેરડા પર નાચ કરતા નટની નજર સમતુલા જાળવવામાં અને લોભીની નજર જેમ પૈસામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy