SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મા તે રાત્રિ આપી શકે. નામ ભક્તિમાર્ગની આરાધના હેય, અને (૨) ભગવાન (ઉપલક્ષથી ગુરુ અને શાસ્ત્ર) કેવા હોય. પ્રથમ ભક્તને સ્વરૂપને વિચાર કરીએ : ભાનું સ્વરૂપ : ભક્ત શબ્દ મન્ ધાતુ ઉપરથી બનેલું છે. મન ધાતુને અર્થ સેવા કરવી, ભજન કરવું એ થાય છે. મને મના કૃતિ મતિ, માનિત નવા ફતિ માં – એમ વ્યુત્પત્તિ થઈ શકે છે. જે પ્રભુમાં પ્રીતિવાળ હોય, નિષ્ઠાવાળો હેય, સેવા-પૂજા-સ્મરણ કે કોઈ પણ અન્ય પ્રકારે પ્રભુની ભક્તિ કરનાર હોય તે ભક્ત છે. જે આ ભક્ત હોય તેનું વ્યક્તિત્વ કેવું હોય તે હવે આપણે જોઈએ; જેથી આપણને તેવું વ્યક્તિત્વ કેળવવાની પ્રેરણા મળે – અને જે આપણને ભક્ત હોઈએ તે આપણી સાધનાની શ્રેણી કેટલી ઊંચી છે તેને પણ ક્યાસ (તારા) નીકળી શકે. ભક્તિમાર્ગની આરાધનાની પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં રહેલા ભક્તનાં મુખ્ય મુખ્ય લક્ષણો સંક્ષેપમાં નીચે પ્રમાણે કયાં છે ? ભક્તનાં લક્ષણે : ૧. વિવેક, ૨. નિઃસ્વાર્થપણું, ૩. શારીરિક પાપકાર્યોને ત્યાગ, ૪. ભકિમના અભ્યાસમાં ઉત્સાહ, ૫. પ્રસન્નતા, ૬. અનાસક્તિને અભ્યાસ. (૧) વિવેક : અહીં હજુ વ્યાવહારિક વિવેકની જ મુખ્યતા હોય છે. સારું શું અને નરસું શું, ભક્ષ્ય શું અને અભક્ષ્ય શું, પુણ્ય શું અને પાપ શું, હિંસા શું અને અહિંસા શું, સ્વધનસ્વ સ્ત્રી શું અને પરધન-પરસ્ત્રી શું ? વગેરે વસ્તુઓને વ્યવસ્થિત પણે ભેદ પાડીને રૂડી વસ્તુઓને અહીં ગ્રહણ કરવામાં આવે છે અને આત્મકલ્યાણમાં (ભક્તિની આરાધનામાં) બાધક વસ્તુઓને અપરિચય – ત્યાગ – કરવામાં આવે છે. “ધર્મ સારે છે.” સત્યઅહિંસા પાળવાં જોઈએ”, “સંતને આદર કરવો જોઈએ વગેરે બાબતના સ્વીકારની આ ભૂમિકા છે. (૨) નિ:વાણિઃ જ્યાં તીવ્ર સ્વાર્થવૃત્તિ હોય ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy