SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સવ-કીર્તન તત્વને બેધ ગ્રહણ કરવાની રુચિ અને શક્તિ તેનામાં વૃદ્ધિગત થાય છે તેથી પવિત્ર પુરુષનાં ચરિત્રોને સાંભળવાની અને સંભલાવવાની પ્રથા આપણા સમાજમાં પ્રાચીન કાળથી જ ચાલી આવે છે. આ પ્રકારે પૂર્વે થયેલા મહાન તીર્થકર, આચાર્યો, ષિ-મુનિઓ, ભગવદ્ભક્તિ, દૈવી સંપત્તિવાળા પુરુષે કે ગીધરનાં ચરિત્રો સાંભળીએ ત્યારે તેઓનાં જ્ઞાન, ધ્યાન, સંયમ, ભક્તિપરાયણતા, સારિવક્તા, પપકાર, ક્ષમા, વિનય, સમાધિ, વિશ્વમૈત્રી આદિ અનેક ગુણનું પ્રત્યક્ષ આચરણ બતાવતા પ્રસંગેનું પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી આપણા જીવનમાં તેમના પ્રત્યે પ્રીતિ પ્રગટે છે અને દિવસે દિવસે વધતી જાય છે. આવા સદ્ગુણ પ્રગટાવવાની શ્રવણધર્મ વડે આપણને રુચિ ઊપજે છે અને અનેક સંકટો આવવા છતાં પણ પિતાના સત્યમાર્ગથી ચલિત ન થવાની તે મહાપુરુષોની વૃત્તિ, આપણને પણ આરાધનાના માર્ગમાં દઢપણે વળગી રહેવાની પ્રેરણું આપે છે. શ્રવણુધર્મની આરાધના અને અગત્ય: પ્રારંભિક સાધનાકાળમાં રહેલા ભક્તજને ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વાર કે બે વાર (શનિવાર-રવિવાર), સત્કથા (પ્રવચન-સ્વાધ્યાય) સાંભળવા જવું જોઈએ. ત્યાર પછી જેમ જેમ તેને તે કથામાં રસ વધતું જશે અને શાંતિનો અનુભવ થતે જશે તેમ તેમ તે વધારે દિવસો કથાશ્રવણ કરશે અને એક દિવસ નિયમિત સાધક બની જશે. ઘણી વાર કથામાં જવાને સમય નથી મળતું એમ બહાનું કાઢવામાં આવે છે, પણ તે ખરું જોતાં યોગ્ય નથી. બીજા કાર્યોમાંથી થોડે થોડો સમય બચાવી દઢતાપૂર્વક શ્રવણધર્મમાં પ્રવૃત્ત થવાને નિર્ધાર કરે એ જ શ્રેયસ્કર છે, સત્કથાને પૂરે લાભ મળે તે માટે સત્કથાના સ્થળે પાંચ-દસ મિનિટ વહેલા પહોંચી વિનયપૂર્વક પિતાને ગ્ય સ્થાને બેસી, બીજા સંસારી ભાવોને ગૌણ કરીને એકાગ્રતાથી સાંભળી તત્વને ગ્રહણ કરવાથી શીઘ આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy