________________
ભજન-ધૂન-
પાય કિયું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટે મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. ૬ -નામતણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ મનાય નહિ, કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી અદરાય નહિ. ૭ જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ નીચને ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ. ૮ –નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ; એ પચ્ચેનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. ૯ પષ્ય રસાયણ બને સેવે, માથામાં લલચાય નહિ તે બહરિદાસ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ. ૧૦
(રાગજળ ભરવા દીયે જમુના તણું રે) મહાવીર તણુ ભક્ત એને માનવા રે,
પહેરે સત્ય-શીલના જે શણગાર. મહા૦ ૧ સત્યાસત્ય સ્વાવાદથી સમજે છે રે,
દિવ્ય-દષ્ટિ વડે એહ દેખનાર. મહા૨ નિભી મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે,
વિશ્વ વાત્સલ્યમય એને વ્યવહાર. મહા. ૩ મેરમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે,
દિવ્ય ગુણમણિઓના ભંડાર. મહા૪ જેણે તનમનધન અમ્ય પ્રભુચરણમાં રે,
શ્વાસોચ્છવાસ એનું રટણ રટનાર, મહા૫ ગ્રંથિભેદ કરી ભેદ જ્ઞાન પામિયા રે,
સ્વપર શાસ્ત્ર તણે શે જેણે સાર. મહા૬ સંતશિષ્ય જેને પરવાને પ્રભુને મળે રે,
- ભવસાગરમાં તે નહિ ભમનાર. મહા ૭ "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org