SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાત-ભાતનાં ચરિત્રો જીવનકાર્ય અને સાહિત્યનિર્માણ આચાર્યશ્રીએ પિતાના જીવનને મેટો કાળ મલખેડ(માન્ય ખેટ)માં ગાજે હતું, જે તે વખતે મહારાજા અમેઘવર્ષની રાજધાની હતી. આ સ્થાન વર્તમાનમાં લગભગ ધારવાડ જિલ્લામાં માનવામાં આવે છે. વિશિષ્ટ સંયમ, અગાધ વિદ્વત્તા, અલૌકિક કવિત્વ, નિરંતર જ્ઞાનાર્જન અને ઉગ્ર તપસ્યા દ્વારા તેમની કીર્તિ સર્વત્ર વ્યાપી ગઈ હતી. ગુણભદ્ર અને વિનયસેન જેવા સમર્થ મુનિઓ અને અમેઘવર્ષ, અકાલવર્ષ અને કાદિત્ય જેવા મહારાજાઓ અને સામતે તેમના ચરણોને ભક્તિપૂર્વક સેવતા હતા તે તેમની અલૌકિક અને લૌકિક મહત્તાને સહજપણે સિદ્ધ કરે છે. મહારાજા અમેઘવર્ષે ઉત્તરાવસ્થામાં તેમની પાસે દીક્ષા લઈ મુનિ પદ ગ્રહણ કર્યું હતું. તેઓએ રચેલા પાંચ ગ્રંથ માનવામાં આવે છેઃ (૧) આદિપુરાણ (૨) પાર્શ્વયુદય કાવ્ય (૩) ધવલા-ટીકા (૪) વર્ધમાનપુરાણ (અપ્રાપ્ય) (૫) પાશ્વ સ્તુતિ (અપ્રાપ્ય) આ ઉત્તમ રચનાઓ પરથી તેમના મહાન વ્યક્તિત્વને ખ્યાલ આવી શકે છે, જયધવલા ટકા વીસ હજાર શ્લેકપ્રમાણ તેમના ગુરુએ લખેલ. પાછળના ચાલીસ હજાર શ્લેકેની રચના તેમણે પિતે કરેલી છે, જે તેમના અગાધ સિદ્ધાંતજ્ઞાનનું દ્યોતક છે. અત્રે માત્ર તેમના આદિપુરાણને સંક્ષેપમાં વિચાર કરીશું. આદિપુરાણ: ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને આ એક મેટો કેશ છે. જોકે તેમાં મુખ્યપણે શ્રીષભદેવ, ભરત ચક્રવર્તી વગેરે મહાપુરુષનાં ચરિત્રોનું વર્ણન છે છતાં પ્રસંગે પાત્ત તેમાં ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, સમાજ-વ્યવસ્થા, રાજનીતિ, અર્થશાસ્ત્ર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy