SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ . પૂએઈગર 2 માતા પણ ૧૨ ભક્તિયાગની આરાધના [૧૫] ભક્ત-કવિશ્રી નાનચન્દ્રજી મહારાજ સર્વ જીવે સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, સુમધુર સ્વરસહિત ભક્તિગીતનું પ્રસ્તુતીકરણ, સહજ-પરેપકારવૃત્તિ અને સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણેની સૌરભથી પશ્ચિમ ભારતમાં પાંચ દાયકાઓથી પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિને સંદેશ આપનાર શ્રીનાનચન્દ્રજી મહારાજ વર્તમાન શતાબ્દીના એક મહાન ભક્ત-સંત થઈ ગયા. જીવનપરિચય: પૂ. મહારાજશ્રીને જન્મ સૌરાષ્ટ્રના સાયલા ગામમાં વિ. સં. ૧૯૩૩ના માગશર સુદ એકમને ગુરુવારના રેજ થયું હતું. પિતા પાનાચંદભાઈ અને માતા રળિયાતબાઈનું કુટુંબ ખાનદાન, ઉદાર અને સંસ્કારી ગણાતું. બાળપણનું નામ નાગરભાઈ હતું. નાની ઉંમરમાં માતાપિતાની છત્રછાયાને વિયાગ થવાથી ભાઈ-ભાભી સાથે રહેવાનું થયું પરંતુ ભાઈને પણ દેહવિલય થયે. નાગરભાઈને વૈરાગ્યભાવની ઉત્પત્તિનું નિમિત્ત મળી ગયું. વિ. સંવત ૧૯૫૭માં તેઓએ પૂ. શ્રી દેવચન્દ્રજી મહારાજ પાસે કરછના અંજાર ગામમાં દીક્ષા લીધી. લીંબડીના આઠ વર્ષના સ્થિરવાસ સહિત શેડાં વર્ષોમાં જ પિતાની આગવી બુદ્ધિપ્રતિભાથી તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ અને બીજા પણ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા ચાતુર્માસ કરીને, ગુરુદેવની સેવામાં રહ્યા અને તેમને દેહવિલય થયે ત્યાર પછી તેઓએ સંઘના આગ્રહથી મુંબઈ ભણી પ્રયાણ કર્યું. અહીં ઘાટકોપરમાં તેઓનાં કુલ ત્રણ માસાં થયાં, જેથી સ્થાનિક જૈન સમાજમાં ખૂબ પ્રમાણમાં ધાર્મિક અને સામાજિક જાગૃતિ આવી. આમ છતાં મુખ્યપણે તેઓનાં વિહારસ્થળે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહ્યાં, જ્યાં ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy