SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ (૨)” ત્રિા માથે ભજિયા ધર્મનું સંક્ષેપમાં સ્વરૂપ બતાવ્યું છે. ભક્તિની સાધનાને મુખ્ય વિષયને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવા માટે, નવ પ્રકારની ભક્તિ દ્વારા તેને રજૂ કર્યો છે. એક પછી એક પ્રકારની ભક્તિ દ્વારા કેવી રીતે સાધકની મલિનતા દૂર થાય છે, કેવી રીતે તે સદ્ગુણસંપન્ન બને છે, કેવી રીતે તેની દષ્ટિ તાત્વિક, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થતી જાય છે અને છેલ્લે ભક્તભગવાનની પારમાર્થિક એકતાનું સ્વરૂપ લાધતાં કેવી રીતે તેનામાં અનન્ય’, ‘પરી’ કે ‘સ્વરૂપ ભક્તિ પ્રગટે છે તેનું આલેખન કર્યું છે. (૨) બીજો ખંડ: બીજા ખંડમાં સંત મહાત્માઓનાં ચરિત્રનું સંક્ષેપમાં આલેખન કર્યું છે. જેમનાં ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે તેઓ બધા ઈતિહાસપ્રસિદ્ધ છે. જે મહાત્માઓએ પિતાના જીવનકાળ દરમિયાન વિશિષ્ટ સાધના કરી હોય, જેમના વ્યક્તિત્વમાં ભક્તિનું તત્ત્વ સ્પષ્ટપણે તરી આવતું હોય, જેઓએ પોતાના જમાનાના સમાજ ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો હોય અને એવું સત્સાહિત્ય નિર્માણ કરેલું હોય કે જે સદીઓ સુધી ભક્ત સાધકોને પ્રેરણા સ્ત્રોત બની રહે, તેવા મહાત્માઓના ગુણાનુવાદ આ ખંડમાં કર્યા છે. તેઓ બહુવિધ વ્યક્તિત્વવાળા છે, મહાકવિ છે, ભક્ત છે. જ્ઞાની છે, યુગપ્રધાન છે, તાર્કિક છે, વાદી છે, રિદ્ધિ સિદ્ધિના ધારક છે. સિદ્ધાંતજ્ઞ છે, ન્યાય, ભાષા, અલંકાર, છંદ, શાસ્ત્રાદિ વિદ્યાઓના પારગામી છે અને તે તે કાળના રાજ્યકર્તા પુરુષના પ્રતિબંધક પણ છે. આવા મહાપુરુષનાં જીવનચરિત્રે ભક્ત સાધકને ખરેખર દીવાદાંડી સમાન બની રહે અને આપણું સૌને જીવનવિકાસમાં વિશેષ પ્રેરણાના સ્રોત થાઓ ! (૩) ત્રીજો ખંડ: આ ખંડમાં ભક્તિપિષક અને પ્રેરણાદાયી પદે, ભજન અને ધૂનેનું સંકલન કરવામાં આવ્યું છે, જેની વિષયવાર યાદી અનુકમણિકામાં આપેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy