SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિમાગ ની આરાધના ૩૮ (૪) ધ્યાન : જે ચિંતવનના અભ્યાસ કરી રહ્યો છે, તેને પ્રેમભાવ, લક્ષ પ્રત્યે (સદ્ગુરુ કે પરમાત્મામાં) વર્ધમાન થતાં તલ્લીનતા ઊપજે છે, જેથી ધ્યાનની સિદ્ધિ થાય છે. (૬) જાપ : અહીં સુધી જે ભક્ત પહેાંચ્યા છે, તેનામાં વિવેક, વિનય, નિયમિતતા આદિ ગુણે! પ્રગટયા હોય છે. આવા સાધકે જાપની સાધના માટે સેવા-પૂજાના અલગ એરડા રાખવા. આ એરડ એવા હોય કે જેમાં બીજા કેાઈ સાંસારિક કાર્ય ન કરવામાં આવતાં હેય. આમ કરવાથી વાતાવરણની પવિત્રતા જળવાય છે. એરડામાં ઇષ્ટદેવ, ગુરુ કે સંતાના ફોટા રાખવાથી મનની પવિત્રતા જાળવવામાં સરળતા પડે છે. પ્રવૃત્તિમય કાળ દરમ્યાન, મંત્ર ખેલવાની કે પ્રભુનામના રટણની સિદ્ધિ કરવા શરૂઆતમાં, કેઇ પણ વસ્તુ ખાતાં-પીતાં પહેલાં પ્રભુનામ ખેલવાના નિયમ લેવા જેથી દસપંદર વખત તે પ્રભુનું નામ જીભ પર રમતું થઈ જાય. થોડા અભ્યાસ પછી તેમાં નીચે પ્રમાણે ધીમે ધીમે ઉમેરે કરતા જવું. (i) સવારે ઊંઘમાંથી ઊઠીને તરત અને રાત્રે સૂતી વખતે. (ii) ઘરમાંથી કેઈપણુ કાર્ય કરવા માટે બહાર જતી વખતે. (iii) નડ્ડાતી વખતે, ધાયેલાં કપડાં પહેરતી વખતે, ભાઇઓએ દાઢી કરતી વખતે અને બહેનાએ વાળ ઓળતી વખતે. ક્રમિક અભ્યાસ દ્વારા જે આટલા આગળ વધી શકે તે ખરેખર મહાન સાધકની કક્ષામાં આવી જાય છે, કારણ કે એક દિવસની અંદર તે લગભગ સાઠ સિત્તેર વખત પ્રભુનું નામ ખેલતા થઈ જાય છે. આ વાત થઈ પ્રવૃત્તિ દરમ્યાન જાપની. આવે ભક્ત સાધક સવાર-સાંજ થઈ શાંતપણે ત્રણ માળાના જાપ કરતા થાય. આગળ ઉપર, ધીમે ધીમે પ્રબુદ્ધ ભક્ત તેા જેમનું નામ તે જપે છે તેમનું સ્મરણ પણ કરતા થઇ જશે; કારણ કે નામનામી અભિન્ન છે. જેવી રીતે રાજાનું નામ ખેલતાં તેના મહેલ. વૈભવ, લશ્કર, અંતઃપુર, સત્તા વગેરેનું સ્મરણ થાય છે તેવી For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy