SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ હતા પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું છે એમ કહી શક્યા. તેની ભક્તિ માત્ર અહેતુકી છે, નિઃસ્પૃહા છે, અનન્ય છે, પ્રશંસનીય છે. પ્રભુએ તેને પિતાના આત્મીયજન તરીકે સ્વીકાર્યો છે. આધ્યાત્મિક અભિગમ: મનુષ્યના સર્વોત્તમ પુરુષાર્થરૂપ મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને, આત્માની શુદ્ધિ માટે, પરમાત્મા કે સદ્દગુરુને નજર સમક્ષ રાખીને ભક્ત, ભગવાનને જે નમ્ર વિનંતી કરે છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રાર્થનાનું વ્યાવહારિક સ્વરૂપ છે. પ્રાર્થનાનું વિજ્ઞાન સમજવા માટે અને આધ્યાત્મિક વિકાસમાં તેને યથાયોગ્ય ઉપયોગ થઈ શકે તે અર્થે, દરેક પ્રબુદ્ધ પ્રાર્થનાકારે નીચેના સિદ્ધાંતને સારી રીતે સમજવા જોઈએ? (4) લઘુતા સહિત આત્મસમર્પણ: દરેક પ્રાર્થનાકારને એ સ્પષ્ટ ખ્યાલ હવે જોઈએ કે પિતે અલ્પ શક્તિને ધરનાર છે અને જેમને પ્રાર્થના કરવામાં આવી રહી છે તે અતિ મહાન શક્તિના ધારક છે. જેના અંતરની અંદર, પિતાની વર્તમાનદશાની લઘુતાનું યથાર્થ દર્શન નથી થયું તે સર્વાપણભાવથી પ્રભુનું શરણ કેવી રીતે લઈ શકે? જ્યાં સુધી અજ્ઞાનજનિત હું, “અહમ' કે “અભિમાનને ભાવ અંતરમાં રહ્યો છે ત્યાં સુધી પ્રપન્નતા – આત્યંતિક શરણાગતિ–(Toral Unilateral Uncondi. tional surrencdr)ને ભાસ સિદ્ધ થઈ શકતું નથી. આ કક્ષાની સાધના સંપૂર્ણ રીતે સફળ થવા માટે ભક્તના અંતરમાં, વર્તમાનમાં પિતાના પુરુષાર્થથી આગળ વધવાની પોતાની સંપૂર્ણ અશક્તિની જાહેરાત અને તેના ફળરૂપે ઊપજવા ગ્ય શરણાગતિની સંપૂર્ણતા પણ દષ્ટિગોચર થાય છે. તેથી જ સંતેએ ગાયું : (૧) હે નાથ ! હું આપને સંદેશવાહક છું, દાસ છું, સેવક છું અને કિંકર છું. માટે “આ મારો છે એ પ્રમાણે આપ સ્વીકાર કરે. અધિક હું કાંઈ કહેતું નથી. વીતરાગસ્તવ/૨૦/૮ શ્રી હેમચંદ્રાચાર્યજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy