SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-શકોનાં ચરિત્રો ૧૦૯ [૧૧] પ્રભુપ્રેમદીવાની મીરાંબાઈ અનેક સદીઓ વીતી જવા છતાં જેનાં પ્રભુપ્રેમનાં પદો આજે પણ ભક્તહદયના તારને ઝણઝણાવીને તેનામાં પ્રભુભક્તિને સંચાર કરે છે તેવાં ભક્તશિરોમણિ મીરાંબાઈના નામથી ગુજરાતરાજસ્થાનમાં કયે ભક્ત પરિચિત નથી? આપણા દેશનાં તેઓ એક મહાન ભક્ત કવયિત્રી થઈ ગયાં. જીવનપરિચય : મીરાંબાઈને જન્મ વિ. સં. ૧૫૬૦માં મારવાડમાં મેડતા પાસે આવેલા કુડકી ગામમાં થયેલ હતું. તેમના પિતાશ્રીનું નામ રતનસિંહ રાઠોડ હતું. બાળપણથી જ તેઓ મોટા ભાગને સમય કૃષ્ણભક્તિમાં ગાળતાં. માત્ર ચાર વર્ષની વયે તેમણે ધાર્મિક વૃત્તિ કેળવવા માંડી હતી. એક વખત તેમના ઘર આગળથી વરઘોડે પસાર થઈ રહ્યો હતે. વરરાજાને સુંદર રીતે શણગાર્યા હતા. બાળવયની મીરાંએ વરરાજાને જોઈ ભેળા ભાવે પૂછયું, “હું બા, મારો વર કેણુ છે ” જવાબમાં માતાએ અડધું મજાકમાં અને અડધું ભક્તિભાવથી કહ્યું, “મારી વહાલી મીરાં, આ ભગવાન શ્રીકૃષ્ણ એ જ તારે વર છે.” ત્યારથી બાળમીરાંએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને પ્રેમ કરવાનું શરૂ કરી દીધું. આધુનિક ઈતિહાસ પ્રમાણે, લગભગ ૧૩ વર્ષની વયે મીરાંબાઈનું લગ્ન મેવાડના રાણું સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયેલું. તેઓ પત્ની તરીકે અત્યંત કર્તવ્યનિષ્ઠ હતાં. ગૃહકાર્ય પતાવીને તેઓ કૃષ્ણભક્તિમાં લીન રહેતાં. પાંચેક વર્ષના સાસરવાસ પછી ભેજરાજનું મૃત્યુ થતાં તેઓ વિધવા થયાં. મીરાં વિષે એવી અફવાઓ ઉડાવવામાં આવતી કે તેઓ અત્યંત મુક્ત રીતે સાધુઓ સાથે હરેફરે છે. મીરાને પણ સાધુઓ પ્રત્યે ખૂબ આદરભાવ હતું અને તેમને સત્સમાગમ હિંમતપૂર્વક કરતાં અને એક રજપૂતાણીની અદાથી કહેતાઃ “પુણ્યકે મારગ ચાલતાં, ઝક મારો સંસાર. આમ છતાં સંત તરીકે મીરાંની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy