________________
[૧૪]
આ. વિ.નંદનસૂરિ-સ્મારકગ્રંથ થોડી વાર પછી પાછા શાંત-સ્વસ્થ થઈ ગયા, અને બધી વાત વીસરી ગયા. સાંજે મહારાજજી પાસે રોજની જેમ જઈને બેઠા. મહારાજજીને હતું કે હવે આ નહિ રહે, ઘરે જતો રહેશે. પણ નરોત્તમને એવો વિચાર સુધ્ધાં ન આવ્યું એ જોઈને મહારાજજીએ કહેલું : “છોકરો જાતવાન છે, સાચે છે, ખોટ નથી.”
એકવાર એવું બન્યું કે, પોતે જે મકાનમાં રહેતા, એ બંધ કરીને બધાં મહારાજજી પાસે ગયેલા. એ વખતે મકાનમાં એક બિલાડુ પેઠું; પંડિતજીવાળા ઓરડામાં એક લેટ પડેલો, એમાં દૂધ હશે એમ માનીને એણે લોટામાં માં નાખ્યું. માં નાખતાં તે નાખી દીધું, પણ દૂધ તે ન મલ્યું, પણ મેં લેટામાં સલવાઈ ગયું, કેમેય કરતાં નીકળે નહિ. એટલે બિલાડું તે આકળવિકળ થઈને ધમપછાડા કરવા માંડયું.
કેટલીક વારે છોકરાઓ ને પંડિતો આવ્યા. અંદર થતી ધમાધમ સાંભળીને બારી વાટે નજર કરી તે, વિફરેલું બિલાડું! કોઈની બારણું ઉઘાડવાની હિંમત ન ચાલી. છયે ગભરાયા. છેવટે નારાયણભાઈને બોલાવ્યા. એમણે બારણું ઉઘાડીને ચપળતાથી બિલાડાને પકડયું. કંસારાની દુકાને લઈ જઈ, લોટ કપાવ્યો, ને એને છૂટું કર્યું.
આમ કરતાં દિવાળી આવી. એ અરસામાં નરોત્તમના બાપુજી બોટાદથી કેટના કામે મુંબઈ ગયેલા, તે પાછા ફરતા કપડવંજ આવ્યા. એમણે નત્તમને કહ્યું : “ચાલો ઘરે.” એટલે તરત બે જોડ કપડા ને એક ડબો હતો, તે લઈને તૈયાર થયા, ને બાપુજી સાથે ઘરે ગયા. ઘરે પહોંચ્યા, પણ કોઈ એ એક શબ્દ પણ ઠપકાને ન કહ્ય, કાંઈ પૂછ્યુંય નહિ, આથી એમને ખૂબ શાન્તિ વળી.
ઘરે ગયા તો ખરા, પણ મનમાં તે એ જ રટણ હતું ક્યારે લાગ મળે, ને છટકું? ક્યારે મારી ભાવના સફળ બને?
નસીબ બે ડગલાં આગળ ! દરેક પ્રવૃત્તિને મર્યાદા હોવી જરૂરી છે. મર્યાદા વિનાની પ્રવૃત્તિને અંજામ બૂરો હોય છે.
પણ એ મર્યાદા ઉચિત હોવી ઘટે; અનુચિત મર્યાદા બંધન બની જાય છે—એવું બંધન, જે જીવનવિકાસમાં બાધા પહોંચાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org