________________
[વચનામૃત-૧] છે - કે કલ્પનાના સુખના સ્વાદ (છે) એ તો દુઃખ છે. અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ છે એનું ભાન થતાં . પ્રથમ ધર્મ (પ્રગટ થતાં . પ્રથમ સમ્યગ્દર્શન થતાં, એ અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ (છે) પર્યાયમાં એના આનંદનો સ્વાદ આવે. એને અનુભવ કહે છે. આહા...હા...! ઝીણી વાત છે, પ્રભુ
અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.” “અનુભવ રત્ન ચિંતામણી” . આત્માનો અનુભવ એ ધર્મ છે. રાગથી, પુણ્યથી - દયા, દાન, વ્રતના વિકલ્પથી જુદો પાડીને અંતર આત્માનો અનુભવ કરવો અને આનંદનું વેદન લેવું, એને અહીંયા સમ્યગ્દર્શન - ધર્મની પ્રથમ શ્રેણી - ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. આહ...હાં......
બેનાને) આનંદનો અનુભવ છે. એ અનુભવમાં (આ) બોલેલાં, લોકોએ થોડું લખી લીધું. એમાં વળી આ વાત બહાર આવી ગઈ ! નહિતર એ તો બહાર પડે નહિ. બહારથી) મડદાં જેવાં - મરી ગયેલાં (દેખાય) !
જ્યારે આત્માને પ્રથમ સમ્યગ્દર્શન થાય છે ત્યારે અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ જગતનાં બધા સ્વાદો છૂટી જાય છે. બધા સ્વાદની મીઠાશ છૂટી જાય છે. ત્યારે એને આનંદના સ્વાદમાં જે કાંઈ વાણી આવે છે (તેને) “અનુભવ વાણી' કહેવામાં આવે છે. એ આ “અનુભવ વાણી’ છે ! દાક્તરોએ તો ના પાડી છે કે એમણે બહુ ફરવું નહિ. નહિતર તો અહીંયા આવવાનો ભાવ હતો). લોકોનો આગ્રહ હતો. પણ આરામ લેવો, બહાર નીકળવું નહિ (એમ દાક્તરનું કહેવું હતું. એટલે આવી શક્યા નથી. પણ એમની આ ચોપડી ૬૦,૦૦૦ છપાઈ ગઈ છે. (બહેનશ્રીના વચનામૃત'નો) પ્રચાર ઘણો છે. ૬૦,000 પુસ્તકો બહાર આવ્યા છે. પણ સમજવા માટે જરી પહેલો બોલ આપણે લઈએ.
પહેલો બોલ - હે જીવ ! આહા...હા....! (જીવને સંબોધન કર્યું છે - હે પ્રભુ! જીવ એટલે આત્મા ! પ્રભુ હે જીવ ! તને ક્યાંય ન ગમતું હોય....' પણ ક્યાંય ન ગમતું હોય તો ! ક્યાંય ગમતું હોય તો તો અંતરમાં નહિ જઈ શકે. ક્યાંય ધૂળમાં ને પૈસામાં ને બાયડી ને છોકરા ને આબરૂ ને કીર્તિ - એમાં જો તને મજા લાગતી હોય તો તું અંદરમાં જઈ શકીશ
-
-
-
=
-
-
-
- -
*
* * * *
- -
-
=
=
=
=
=
=
•
=