________________
સ્નાનવિધિ
હવે મધ્યાહ્નકાલીન પ્રભુપૂજા કરવા માટે શ્રાવક સ્નાન કરે. જે ભૂમિ પર સ્નાન કરવા બેસે ત્યાં કીડીના નગરા, લીલફૂગ કે કુંથુઆ વગેરે ત્રસજીવો ન હોય અને ભૂમિ પણ ઉંચીનીચી કે ખાડામાં પાણી ભરાઈ રહે એવી ન જોઈએ.
ત્રસ વિગેરે જેવોથી રહિત સરખી જમીન પર અચિત્ત પાણીથી, અચિત્ત ન હોય તે સારી રીતે ગાળેલા સયિત્ત પાણીથી ઉડતા જીવની જણપૂર્વક ઓછામાં ઓછા પાણીથી નાન કરે.
૦ અળગણ અથવા નિરર્થક વધુ પાણી કામમાં ન લેવું જોઈએ.
૦ તદન વસ્ત્ર વિના નગ્ન થઈ કયારે પણ સ્નાન ન કરવું જોઈએ.
૦ સ્નાન કર્યા બાદ સ્વચ્છ અને સુગંધી વસ્ત્રથી શરીર સાફ કરવું જોઈયે.
૦ પછી પૂજાના વસ્ત્ર સિવાયના ઉન-શણ વગેરેના સુકા વસથી ભીનું વસ્ત્ર બદલવું અને પગ પૂરા ન સૂકાય ત્યાં સુધી ઊભા રહેવું.
૦ પછી પવિત્ર સ્થળે ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી. પૂજાના કપડા પહેરે.
૦ પૂજા માટે પુરૂષએ ધોતીયું અને ખેશ બે જ વસ્ત્ર પહેરવા જોઈએ.વધારે નહિ. (અંદર ચડ્ડી લગોટ વગેરે નહિ.)