________________
પ્રશ્નોત્તર
પ્રશ્ન : નિયમ લઈને તેડી નાંખવે એ કરતા ન લે શું છે ?
ઉત્તર : નિયમ હંમેશા પાળવા માટે જ અપાય છે. અને લેનારાઓ પણ પાળવા માટે જ લે છે. આમ છતાં નિયમ તેડી નાંખો અને તૂટી જવો એ બેમાં ઘણે તફાવત છે. - નિયમ લેતાં પહેલાં જ “ભાંગી જશે તે” એમ વિચારી ન લેનાર જે સંસારમાં પણ એ જ રીતને વિચાર કરી પગલું ભરે તે એ કંઈ જ ન કરી શકે.
પણ, ધર્મના વિષયમાં એ આ બધા વિચાર કરે છે. સંસારમાં તે વગર વિચાર્યું ઝંપલાવે છે.
– દુકાન ખોલતી વખતે “દેવાળું આવશે તે”? એમ એ વિચારતે નથી!
– છોકરી પરણતાં “રંડાપો આવશે તે” એવે એ વિચાર કરતા નથી.
– ઘર બાંધતા “ધરતીકંપ થશે તે” એ એ વિચાર કરતો નથી.
– ડૉકટર વકીલ આદિની ડીગ્રી મેળવવા હજારો રૂપિયા ખરચતાં “કદાચ ડોકટર બનીને તરત જ મરી જઈશ તે” એ વિચાર એ કરતું નથી.
સ્ટીમરમાં બેસી વિલાયત જતાં “કદાચ સ્ટીમર વચમાં જ ડૂબી જશે તે?” એવો વિચાર એને આવતું નથી.
198