________________
ભાવથી વ્યવહારશુદ્ધિ :
– શ્રાવક લેવા દેવાના કાટલાં જુદા ન રાખે. બેટા તેલમાપ ન વાપરે. માલમાં ભેળસેળ ન કરે.
– લેતી વખતે છેતરીને વધારે ન લે. આપતી વખતે છેતરીને ઓછું ન આપે. અર્થશાસ્ત્ર પણ કહે છે કે “પ્રામાણિકતા એ ગ્રાહકોને દુકાને ખેંચી લાવનાર લેહચુંબક છે.”
– મનમાં જુદુ, વચનમાં જુદુ અને આચરણમાં જુદુ શ્રાવક કદી ન રાખે. સેમ્પલ બીજું બતાવે અને માલ બીજે આપે એવું ન કરે. – ક્રુર લેકે સાથે ઉધાર વેપાર કરે નહિ. ઉધાર વેપાર
કરવો પડે તે ય સત્યવાદીઓની સાથે જ કરે. – ધર્મના સોગંદ ક્યારે પણ ન ખાય.
– વ્યાજનો વેપાર કરે નહિ. કરવો પડે તે જેટલી રકમ ધીરે તેથી વધુ કિંમતના ઘરેણું વગેરે અનામત લઈને ધીરે જેથી વ્યાજ વસુલ કરવામાં કલેશ, વૈર, ધર્મ અને જાનહાનિ ન થાય. સામે માણસ પોતે જ વ્યાજ આપી અનામત લેવા દે દે આવે.
– વ્યાજ પણ ઉચિત એટલે દેશ કાળ પ્રમાણે શાહુકારી વ્યાજ લે. અધિક ન લે.
– પિતે બીજાના પૈસા વ્યાજે લીધા હોય તે લેણદારની મુદત પૂર્ણ થયા પહેલાં ભરી દે. કદાચ કર્મચાગે વ્યાપારમાં લાભ ન થયો હોય ને મુદત પ્રમાણે આપી શકે એમ ન હોય તે લેણદારને અસંતોષ અને અવિશ્વાસ ન થાય એ રીતે ધીરે ધીરે ભરપાઈ કરી આપે.
14