________________
જરૂરિયાતમાં ખર્ચે, ચોથો ભાગ આશ્રિત (જેનું ભરણપોષણ કરવા જેવું હોય) માટે ખર્ચે
– ત્યારે શ્રીમંત શ્રાવક જેને પુણ્યાનુબંધિ પુણ્યથી લક્ષ્મી મળે જ જાય છે તે કમાણને અર્ધો ભાગ કે તેથી પણ વધારે ભાગ ધર્મકાર્યમાં ખર્ચે....અને બાકીના ભાગમાંથી તુચ્છ એવા ભેગાદિ કાર્યો ઓછામાં ઓછો પાપ બંધ થાય એ રીતે કરે.
– આ પ્રમાણે વ્યવહાર શુદ્ધિથી શુદ્ધ અદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાથી ધર્મદ્ધિ બને છે, નહિ તે ભોગદ્ધિ કે પાપઋદ્ધિ બની આત્માને દુર્ગતિમાં લઈ જાય છે.
– વ્યવહારશુદ્ધ જીવન બનાવવા-માર્ગનુસારીના પાત્રીસ ગુણો તરફ શ્રાવકે અવશ્ય લક્ષ્ય આપવું જોઈએ જે આગળ બતાવ્યા છે.
- નેટ: કેઈ પણ ધર્મશાસ્ત્રો વેપાર કરવાને ઉપદેશ આપે જ નહિ....અને એ ઉપદેશ આપવાની જરૂર પણ નથી. જેમ ભૂખ્યા માણસ વગર કહ્યું ભેજન કરવા દેડ્યા જ જવાના છે કારણ અનાદિકાળની આહાર સંજ્ઞા એનામાં સુતેલી છે, એમ સંસારી જીવો, વગર ઉપદેશે ધન કમાવા પ્રયત્ન કરવાના છે. એમાં એને ઉપદેશની જરૂર નથી. પરિગ્રહસંજ્ઞા એનામાં પડેલી જ છે.
અહીં જે વિધાન કે ઉપદેશ અપાવે છે તે ધન કમાવાને નહિ પણ ધન કમાતા, ધર્મ ન ચૂકાય, નીતિ ન મૂકાય, વ્યવહાર ન ભૂલાય એને જ અપાય છે એ ખાસ ખ્યાલ રાખવું.
ઉપદેશ નિરવદ્ય વસ્તુને જ અપાય સાવઘને નહિ!