________________
ગૃહમંદિર
આરસપાષાણનું ભવ્ય અને વિશાળ જિનમંદિર બંધાવવાની તાકાત ન ધરાવતા શ્રાવકે પણ ઘરમાં ગૃહમંદિર તો અવશ્ય રાખવું જ જોઈએ.
– જે ઘરમાં ભગવાન જેવા ભગવાનનો વાસ થાય એ ઘરમાં વસનારનાં પુણ્યને આ વિશ્વમાં જેટે નથી.
– ઘરમન્દિર કરવાથી ઘરમાં દરેકને પૂજા આદિના સંસ્કાર પડે છે. પુણ્યશાળી એવા ચતુર્વિધ સંઘના પુણ્ય પગલાથી એ ઘર સદાય પવિત્ર બનતું હોય છે. ઘરમાં જુદા રૂમમાં એ શક્ય ન હોય ને જુદા સુંદર કબાટમાં પણ દિશા અને રાશિ વગેરે જેઈ શ્રાવકે અવશ્ય ધાતુની પ્રતિમા રાખવી જોઈયે. આશાતના ન થાય એની તકેદારી રાખવી જોઇયે.
આજકાલ અશાતનાના ભય નીચે નવા ગૃહમંદિરે થતા અટકી ગયા ને જુના ગૃહમંદિરો ય નીકળી જવા લાગ્યાં.
સોસાયટીઓમાં વિશાળ બંગલા બાંધીને, બંગલામાં શે રૂમ, ડ્રોઈગ રૂમ, બાથરૂમ, આદિ અનેક રૂમ કાઢનારા શ્રાવકોએ પિતાના ઘરમાં ગૃહમંદિર ન હોય તે શરમાવું જોઈએ.
ગૃહમંદિર રાખનાર શ્રાવકે એટલું અવશ્ય ધ્યાન રાખવું કે બધી સામગ્રી પોતાના પિસાથી જ લાવવી. એ વસ્તુ ઘરનાં ઉપયોગમાં ન લેવી. ચઢાવેલા ચેખા સોપારી વગેરે વેચવાથી જે દ્રવ્ય આવે તે બીજા જિનમંદિરમાં પોતાના નામે ન આપે પણ દેવ દ્રવ્ય છે એમ કહી આપે. નૈવેદ્ય ફળ વગેરે ઘરના નોકરને કે પૂજારીને પગાર રૂપે કે ભેટ રૂપે પણ ન આપે. પરંતુ મુખ્ય જિનાલયમાં આપી દે.
108