Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 224
________________ ગર્ભ છેડે અને બીજ ઘણું હોય તેમજ જેમાં બીજને જુદા જુદા ખાસ સ્થાન કે ખાના ન હોય. તે બહુ બીજ જાણવાં. ૦ બહુ બીજમાં ખાવાનું થોડું આવે છે, ને જીવહિંસા ઘણી જ થાય છે. જેથી તેને ત્યાગ કર જોઈએ, લીલા અને સુકાં અંજીરમાં બીજ ઘણા હોય છે. જે જુદાં પાડી શકાતાં નથી. તેમજ જામફળ, જમરૂખ, દાડમ, તેના બીજ કડક હોવાને કારણે સચિત્ત જીવવાળા હોય છે. જેથી તે એકાસણું કે બેસણામાં કલ્પ નહીં. ૦ કોઠીંબડાં, ટીમરૂ, રીંગણ, ખસખસ, રાજગરે, પંપરા, પટેલમાં પુષ્કળ બીજે હોય છે. જેથી આરોગ્ય અને જીવહિંસાની દષ્ટિએ તેને અવશ્ય ત્યાગ કરવો. 14. વેંગણું જ સર્વ જાતિના રીંગણ અભક્ષ્ય છે. તેમાં બીજે બહુ સંખ્યામાં હોય છે. તેની ટેપીમાં સૂક્ષમ ત્રસ જીવો હોય છે. રીંગણાની સુકવણને પણ નિષેધ છે. 61. તુચ્છફળઃ ૦ ચણર, પીળું પીચું, ગુંદી, જાંબુ, સીતાફળ, વગેરે ફળે જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું હોવાથી તૃપ્તિ થતી નથી. અને શક્તિ પણ મળતી નથી. તે તુચ્છ ફળ હોવાથી વાપરવાં જોઈએ નહિ. 16. અજાણ્યા ફળઃ ૭ અજાણ્યા ફળે કે જેનું નામ આપણે જાણતા નથી. જેના ગુણ આપણે જાણતા નથી. તેમ બીજા કેઈ તેના નામ ગુણ જાણતા નથી તે બધા અજાણ્યા ફળ-ફૂલ ખાવાથી કઈ વખત આત્મઘાત થાય છે. તેવા અજાણ્યા ફળો વાપરવા નહીં. 181

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246