Book Title: Shravake Shu Karvu Joie
Author(s): Muktiprabhvijay
Publisher: Jayantilal Atmaram Shah

View full book text
Previous | Next

Page 222
________________ દહીં કે છાશ, તેમજ તેની સાથે મેળવણુ કરેલ કેઈપણ ચીજ હોય તેમાં તરત જ બેઇન્દ્રીય જીવની ઉત્પત્તિ થાય છે. ૦ દ્વિદળને સામાન્ય રીતે કઠોળ ધાન્ય કહીએ છીએ. જેમાંથી તેલ ન નીકળે-બે સરખી ફાડ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે દ્વિદળમાં ગણાય છે. ૭ ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, વટાણા, લાંગ, મેથી, લીલવા વગેરે તથા તે કઠોળના લીલાં સુકાં પાન-પાંદડા, ભાજી તથા તેને લોટ, દાળ અને તેની બનાવટ વગેરે પણ દ્વિદળ ગણાય છે. જેમ કે -વાળ, ચોળાફળી, તુવેર, લીલા વટાણા, લીલા ચણ, પાંદડીવાળું શાક તથા તેની સુકવણી, સંભારો, અથાણાં, દાળ, કઢી, શેવ, ગાંઠીયા, ખમણકલાં, પાપડ, બુંદી, વડા, ભજીયાં વગેરે સાથે કાચા દૂધ, દહીં કે છાસને વેગ થતા અભક્ષ્ય બને છે. ૧ દુધ, દહીં, છાશ ને હાથે દાઝે તેવું ખુબ ગરમ કરેલ હોય તે ઠંડા થયા પછી ઉપરની કઠોળની ચીજો તેની સાથે વપરાય તે દોષ લાગે નહિં. છાશ, દહીંને વધુ ગરમ કરવાથી ફાટી જાય તે તે માટે મીઠું કે બાજરીને લેટ નાંખવાથી ફાટી જતાં નથી માટે રાયતાં, દહીંવડા, શ્રીખંડ, કઢી, મેથી નાખેલા અથાણું, મેથીની ભાજી, ખમણ-ઢોકળાં, વાલની દાળ વગેરે સાથે કઠળ વસ્તુ વાપરતાં બહુજ ઉપગ રાખવું જરૂરી છે. કેવલી ભગવંતોએ અનેક જીવોની ઉત્પત્તિ જ્ઞાનથી જોઈ છે. 12. ચલિતરસઃ 0 રૂપ, રસ, ગંધ, સ્પર્શ, વગેરે બદલાઈ જાય તેને 185

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246