________________
પ્રભુ પ્રતિષ્ઠા
જિનમંદિર-જિનબિમ્બ ભરાવ્યા બાદ શ્રાવકે જિનબિમ્બની તરત જ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.
જિનમંદિર તૈયાર થયા બાદ પ્રતિષ્ઠા લંબાવવી ન જોઈએ.
શ્રાવક જિનમંદિરની પ્રતિષ્ઠા વખતે આમંત્રણ પત્રિકા દ્વારા ગામેગામના સંઘને આમંત્રણ મોકલે, અષ્ટાનિકા મહોત્સવ રાખે, ગુરૂ મહારાજને ભવ્ય નગર પ્રવેશ કરાવે. બહાર ગામથી જે આવે તેનું સ્વાગત - સન્માન અને ભકિત કરે. ગરીબોને દાન આપે, લોકોને ખૂબ ખૂશ કરે, ગીત સંગીત અને નૃત્યના ઠાઠમાઠ સાથે આઠે દિવસ પૂજા ભણાવે. પ્રભાવના તથા સુંદર અંગરચના કરે. સવાર બપોર-સાંજ ચેઘડીયા વગડાવે. અઢાર અભિષેક તથા શાન્તિસ્નાત્ર આદિ મહાપૂજા પૂર્વક પ્રતિષ્ઠા કરાવે ને પોતાના જીવનને ધન્ય બનાવે.
– બને ત્યાં સુધી આઠ દિવસને મહોત્સવ કરવો જેનાથી એ પ્રતિમા લાંબાકાળ સુધી પૂજાય અને શાસનની ઉન્નતિ વધે. એ ન બને તે પાંચ દિવસનો અને એ ન બને તે ત્રણ દિવસનો મહોત્સવ તે અવશ્ય કરવું જ જોઈએ.
દરેક શ્રાવકે જીવનમાં એકાદ પ્રતિષ્ઠા કરાવવાને અવશ્ય લાભ લેવું જોઈએ.
મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા એ માટે કરવાની છે કે હૃદય મંદિરમાં ભગવાનની અને ભગવાનના શાસનની પ્રતિષ્ઠા થાય.
110