________________
૧ વિનય -શિષ્યધામ, પ્રાપ્ત કરવા તથા બીજાઓને પણ દોરવા શક્તિમાન થાય છે. કારણ કે, પૂજ્ય, જ્ઞાની, પ્રસિદ્ધ અને કૃપાવંત આચાર્યો જેના ઉપર પ્રસન્ન થાય છે, તેને અર્થવાળી* વિપુલ વિદ્યા આપે છે. લોકોમાં તેની કીર્તિ થાય છે, અને પૃથ્વી જેમ સર્વ પ્રાણીઓનું રહેઠાણ છે, તેમ તે બધાં કર્તવ્યોનું રહેઠાણું બને છે. તેનું જ્ઞાન પૂજાય છે, તેના સંશય ટળી જાય છે અને કર્તવ્યની સંપત્તિથી તે બધાને મનગમતો થાય છે. તપ, આચાર અને સમાધિથી સુરક્ષિત એ તે મહાતેજસ્વી શિષ્ય પાંચે વ્રતો પાળવા શક્તિમાન થાય છે; અને મૃત્યુ બાદ કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અથવા મહાદ્યુતિવાળા દેવ થાય છે. [૪૫-૪૮]
છે “મેક્ષરૂપી અર્થ યુક્ત, કલ્યાણકારી ” એવો અર્થ પણ - થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org