Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 313
________________ ૨૮૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ આપણો આત્મા જ નરકની વૈતરણું નદી તથા કૂટ શાલ્મલી વૃક્ષ છે; આપણો આત્મા જ સ્વર્ગની કામદુધા ધેનુ ઘથા નંદનવન છે. દુઃખે અને સુખને આત્મા જ કર્તા અને વિકર્તા છે. સાથે માર્ગે જનારો આત્મા જ મિત્ર છે, અને ખરાબ માર્ગે જનારે આત્મા જ શત્રુ છે. [૨૦,૩૬-૭] वेया अहीया न भवन्ति ताणं भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हवन्ति ताणं को णाम अणुमन्नेज एयं ॥ 'ભણેલા વેદ બચાવી શકતા નથી, જમાડેલા બ્રાહ્મણે અંધારામાંથી અંધારામાં લઈ જાય છે. સ્ત્રીઓ અને પુત્ર પણ રક્ષણ કરી શકતા નથી; તો કાણ એ બધાને સ્વીકારે? [૧૪-૧૨] पसुबन्धा सव्ववेया य जटुं च पावकम्मुणा । न तं तायन्ति दुस्सीलं कम्माणि बलवन्ति हि ॥ પશુઓને યજ્ઞમાં બાંધવાં અને હેમવાં વગેરે યજ્ઞકમી, તથા તેમનું વિધાન કરનારા બધા વેદો પાપકર્મનાં કારણરૂપ હેઈ, દુશીલ માણસને બચાવી શકતાં નથી. કર્મો જ આ જગતમાં બળવાન છે. [૨૫-૩૦] न हु पाणवहं अणुजाणे मुच्चेज कयाइ सव्वदुक्खाणं । एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥ પ્રાણીઓનો વધ કરના-કરાવનાર કદી સર્વ દુઓમાંથી મુક્ત થઈ શકતો નથી. એવું આ સુંદર ધર્મ ઉપદેશનારા આર્ય પુરુષોએ કહ્યું છે. [૮-૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322