________________
ર૭૧ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ नागो जहा पंकजलावसनो दटुं थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुगो मग्गमणुब्धयामो ॥
કાદવમાં ખેંચી ગયેલો હાથી જેમ કિનારે જેવા છતાં કાંઠે આવી શકતો નથી, તેમ કામગુણમાં આસક્ત થયેલા અમે સત્ય માર્ગ દેખવા છતાં તેને અનુસરી શકતા નથી. [૧૩-૩૦]
अब्भाहयंमि लोगंमि सवओ परिवारिए । अमोहाहिं पडन्तीहिं गिहंसि न रइं लभे ॥
ચારે બાજુથી પીડા પામેલા અને ઘેરાયેલા લેકમાં, જ્યાં અમેઘ કાળ દોડ્યા જ કરે છે, ત્યાં ઘરમાં રહીને અમે રતિ નથી મેળવી શકતા. [૧૪-૨૧]
संसयं खलु सो कुणई जो मग्गे कुणई घरं । जत्थे। गन्तुमिच्छेज्जा तत्थ कुवेज सासयं ॥
જ્યાં પિતાને હંમેશ રહેવાનું નથી, એવા રસ્તામાં જે ઘર કરે છે, તે મૂર્ખ છે. માણસે તો જ્યાં પોતાને કાયમનું જવાનું છે, ત્યાં ઘર કરવું જોઈએ! [૯-૨૬]
जस्सत्थि मच्चुणा सक्खं जस्स चत्थि पलायणं । जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया ॥
જેને મૃત્યુ સાથે મિત્રતા છે, જે તેને હાથમાંથી ભાગી શકે છે, અથવા “હું મરવાને નથી' એવું જે જાણે છે, તે એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.” [૧૪૨૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org