Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 309
________________ ર૭૧ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ नागो जहा पंकजलावसनो दटुं थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुगो मग्गमणुब्धयामो ॥ કાદવમાં ખેંચી ગયેલો હાથી જેમ કિનારે જેવા છતાં કાંઠે આવી શકતો નથી, તેમ કામગુણમાં આસક્ત થયેલા અમે સત્ય માર્ગ દેખવા છતાં તેને અનુસરી શકતા નથી. [૧૩-૩૦] अब्भाहयंमि लोगंमि सवओ परिवारिए । अमोहाहिं पडन्तीहिं गिहंसि न रइं लभे ॥ ચારે બાજુથી પીડા પામેલા અને ઘેરાયેલા લેકમાં, જ્યાં અમેઘ કાળ દોડ્યા જ કરે છે, ત્યાં ઘરમાં રહીને અમે રતિ નથી મેળવી શકતા. [૧૪-૨૧] संसयं खलु सो कुणई जो मग्गे कुणई घरं । जत्थे। गन्तुमिच्छेज्जा तत्थ कुवेज सासयं ॥ જ્યાં પિતાને હંમેશ રહેવાનું નથી, એવા રસ્તામાં જે ઘર કરે છે, તે મૂર્ખ છે. માણસે તો જ્યાં પોતાને કાયમનું જવાનું છે, ત્યાં ઘર કરવું જોઈએ! [૯-૨૬] जस्सत्थि मच्चुणा सक्खं जस्स चत्थि पलायणं । जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया ॥ જેને મૃત્યુ સાથે મિત્રતા છે, જે તેને હાથમાંથી ભાગી શકે છે, અથવા “હું મરવાને નથી' એવું જે જાણે છે, તે એવો વિચાર કરી શકે કે, “આ હું આવતી કાલે કરીશ.” [૧૪૨૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322