________________
૯
૧૬ઃ બ્રહ્મચર્ય ૧૦. બ્રહ્મચારીએ જનનેન્દ્રિય ઉપરાંત શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શની ઇનેિ પણ વશ ન થવું.
સ્ત્રીઓ વડે સંકીર્ણ ઘર, મનોરંજક સ્ત્રીકથા, સ્ત્રીઓનો પરિચય, તેમની ઇકિયેનું નિરીક્ષણ, તેઓનું કુજિત, રુદિત, ગીત અને હાસ્ય, તેઓની સાથે ભેજન અને બેઠક, રસદાર અને પ્રમાણથી વધારે ખાનપાન, તથા શરીરની ટાપટીપ આ બધી વસ્તુઓ માણસને પ્રિય છે અને તેથી તેને ત્યાગ કરવો મુશ્કેલ છે. પરંતુ આત્માની શોધ કરનારા માણસને માટે તો એ તાલપુટ વિષ જેવી છે. જેને સમાધિ પ્રાપ્ત કરવી છે, તેણે આ બધાં શંકાસ્થાનો છોડી દેવાં જોઈએ; અને ધીરજથી જિકિય અને સમાધિયુક્ત બની, ધર્મને ભાગે વિચારવું જોઈએ.'
જે આ દુષ્કર બ્રહ્મચર્યનું આચરણ કરે છે, તેને દેવ, દાનવ, ગાંધર્વ વગેરે સર્વ નમસ્કાર કરે છે.
આ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને જિને બતાવેલ છે. એ જ માર્ગથી પૂર્વે કેટલાય જીવો સિદ્ધ થયા છે, અત્યારે થાય છે, અને હજુય થશે.
૧. ૨૦-૪પમાં (પા. ૧૧૭) કાલકૂટ છે. “જેને હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તે તાલપુટ” એવો અર્થ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org