________________
ણીઓ સ્થલે સ્થલે યંત્રો તેમજ જદા જુદા ક્ષેત્ર સંબંધી રંગબેરંગી આકર્ષક લગભગ ૫૦ ચિત્રો, તથા છેવટે મૂલ ગાથાઓ વિગેરેને ખાસ સંગ્રહ આ ગ્રન્થમાં કરેલ હોવાથી આ ગ્રન્થના અભ્યાસકેને ઘણાજ ઉપકારક થઈ પડશે એમ અમારું ચક્કસ માનવું છે. એટલું તો ચોક્કસ કહેવું પડશે કે આ ઉપગી સચિત્ર ગ્રન્થ કેઈપણ સંસ્થા તરફથી બહાર પડતો હોય તો આ સંસ્થા તરફથી પ્રથમ જ બહાર પાડવામાં આવેલ છે, તે માટે આ સંસ્થા પ્રશંસાપાત્ર છે.
સાથે સાથે કહેવું પડશે જે પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાસનમાન્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના અમૂલ્ય સદુપદેશથી જે જે ભાગ્યશાલી સમ્રહસ્થોએ આ ગ્રન્થના પ્રકાશનમાં આર્થિક સહાય કરી લક્ષ્મીને સદુપયોગ કર્યો છે તે પણ પ્રશંસનીય હોવા સાથે અન્ય સદ્દગૃહસ્થને તે પ્રમાણે અનુકરણ કરવા લાયક છે. મહાદય પ્રેસના માલિક તેમજ વ્યવસ્થાપક શાહ ગુલાબચંદ લલુભાઈએ આ ગ્રન્થનું જે સુવ્યવસ્થિત પદ્ધતિથી મુદ્રણ કર્યું છે તે પણ ગ્રથના અભ્યાસકેને સુગમતામાં સાધન છે.
અંતમાં જણાવું છું જે-આ લઘુક્ષેત્ર સમાસ-વિસ્તરાર્થ ગ્રન્થનું સાવંત સંશોધન કરવાનું
સદ્દભાગ્ય મને પ્રાપ્ત થવા સાથે સંશોધનમાં મારી અલ્પમતિને સદ્વ્યય થયો છે ઉપકારરમરણ તે હાર પરમ ગુરૂદેવ વ્યાખ્યાપ્રજ્ઞ સિદ્ધાન્ત મહેદધિ, આરાધ્ય પદ, આચાર્ય
' મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ તેમજ ગુરૂદેવ મને રત્નત્રયી પ્રદાયક, સદ્ગુણનિધિ, સચ્ચારિત્ર ચૂડામણિ, અખંડ ગુરૂકુલવાસી, પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી મહારાજને આભારી છે. આ ઉપોદ્ધાતના પ્રારંભમાં ક્ષેત્રવિષયક જે સમન્વય કર્યો - છે. તેમાં સ્થલે સ્થલે ઉત્પન્ન થતી શંકાઓનું સમાધાન આપવા માટે આગમ દ્ધારક પ્રત્યુષાભિસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી સાગરાનન્દસૂરીશ્વરજીને ઉપકાર ચિરસ્મરણીય છે. અને આવા ગ્રન્થસંશોધનના કાર્યમાં મારા ગુરૂ બાધવ મુનિવર્ય શ્રી ઉદયવિજયજી, મુનિવર્ય શ્રી ભરતવિજયજી, તરક્યી મળતી રાહત તથા બાલમુનિશ્રી યશોવિજયજી તરફથી મળતી અનેક યોગ્ય સૂચનાઓ પણ મને યાદ કરવાની જરૂર પડે છે.
આ લઘક્ષેત્રસમાસનું યથામતિ યથાશક્તિ શાસ્ત્રીય આધારે સંશોધન કરવાનો પ્રયાસ સેવ્ય છે. હાર પૂજ્ય ગુરૂશ્રીને એ સંશોધનમાં સંપૂર્ણ સહયોગ છે. બલકે તેઓએજ સંશોધન કર્યું છે. હે તો તેમની અનુજ્ઞાનુંજ આરાધન કર્યું છે એમ કહું તાપણું અતિશયોક્તિ નથી. તથાપિ છદ્મસ્થજન્ય તેમજ પ્રમાજન્ય કોઈ ખલના સુજ્ઞ સમાજને દષ્ટિગોચર થાય તે સુધારી લેવા સહદય નિવેદન છે.
- આ ગ્રન્થથી આ વિષયના જીજ્ઞાસુ ભવ્યાત્માઓ ક્ષેત્ર સંબંધી યોગ્ય માહીતી મેળવવા પૂર્વક ચૌદરજજુ પ્રમાણ લોકાકાશ ક્ષેત્રના અગ્ર ભાગમાં રહેલ સિદ્ધશિલાનિવાસી બને એજ અંતિમ અભ્યર્થના –
અમદાવાદ એલીસબ્રીજ
સુતરીયા બિલ્ડીંગ વૈશાખ વદ-૨ બુધવાર - ' વિ. સંવત ૧૯૯૦
શ્રી ગુરૂચરણસેવક, પ્ર. ધર્મવિજય