________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
જૈન રામાયણ ન કર્યો હોય? રાવણ સીતાને છોડે? આ વિચાર રામે કર્યો જ નહીં. રાગી મનુષ્ય દોષ જોતો જ નથી. રામને સીતામાં દોષ ન જ દેખાય.'
શ્રી રામનું મસ્તક ઘૂમવા લાગ્યું. હૃદયમાં વેદના ભરીને, શ્રી રામ પાછા મહેલે આવ્યા અને પલંગમાં પછડાઈ પડ્યા. વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. ચારે બાજુ અંધકાર દેખાય છે; શું કરવું..? શું ન કરવું..? એક બાજુ પ્રાણથી ય અધિક પ્રિય સીતા અને બીજી બાજુ રાજપરિવારનો નિર્મળ યશ, કોનો ત્યાગ કરવો? કોને બચાવી લેવું?
કર્મોનો વિચિત્ર ઉદય ક્યારે આવે ને ક્યારે જીવનને અંધકારમય બનાવી. દે તે કોણ કહી શકે? એવાં કર્મોથી બંધાયેલા જીવો, સંસારમાં આવી ઘોર વેદનાઓ અનુભવતા, ચારેય ગતિમાં ભટકી રહ્યા છે. ધિક્કાર હો એવાં કર્મોને! - શ્રી રામની નિદ્રા ઊડી ગઈ છે. તેમણે આખી રાત અકથ્ય વેદનામાં વિતાવી.
For Private And Personal Use Only