________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૧૬
જૈન રામાયણ “તાતપાદ, અમને અનુમતિ આપો, અમે સંસારનો ત્યાગ કરી, માતાજીના માર્ગે, ચારિત્રના માર્ગે જઈશું. લઘુતાતના વિરહમાં એક ક્ષણ પણ હવે આ સંસારમાં અમે રહી શકીએ એમ નથી. અમારું મન અત્યંત ઉદ્વિગ્ન બની ગયેલું છે.” બને ઊભા થયા. શ્રીરામને નમન કર્યું. મહેલ છોડી, અયોધ્યા છોડી તે બાંધવબેલડી દૂર દૂર ચાલી ગઈ, નિર્મમ બનીને, નિર્મોહી બનીને. એક વન વન-ઉઘાનમાં અમૃતઘોષ મુનીશ્વર મળી ગયા. તેઓએ ચારિત્ર લીધું. અંતરાત્મા બનીને, સાધના કરી, કાળક્રમે કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા.
૦
૦
૦
For Private And Personal Use Only