________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'સિંહનિનાદ’ વનમાં
૮૧૧ શ્રીરામ દંપતીના છિન્નભિન્ન થયેલા જીવન પર આંસુ વહાવે છે, પથ્થરની એક શિલાના સહારે આંખો બંધ કરીને બેઠેલાં સીતાજીને જુએ છે. વારંવાર એ મહાસતીને પ્રણિપાત કરે છે. રથના અશ્વો પાસે જઈ, અશ્વોની પીઠ પર હાથ ફેરવે છે. અશ્વો પગ પછાડે છે, મુખે હલાવી, અયોધ્યા તરફ વળવાની ના પાડે છે. કતાંતવદન જંગલની ચારેબાજુ દૃષ્ટિ નાંખે છે. આ જંગલમાં આ મહાસતીને રહેવાનું? કોના સહારે? શું આ નરી ક્રૂરતા નથી? સેનાપતિ, હતબુદ્ધિ થઈ, રથમાં બેસી જાય છે અને રથને અયોધ્યાના માર્ગે હકારી મૂકે છે.
જ્યાં સુધી સીતાજીનાં દર્શન થયાં ત્યાં સુધી એણે સીતાજી તરફ જોયા જ
૦
૦
૦
For Private And Personal Use Only