________________
ચૈત્યવદન મહાભાષ્ય
કરે તો પણ તેના તે બંને ચૈત્યવંદન જઘન્ય છે. કારણ કે સમ્યગુદૃષ્ટિ આદિની અપેક્ષાએ એના પરિણામની વિશુદ્ધિ ઓછી હોય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિનું જઘન્યાદિ ત્રણે પ્રકારનું વંદન મધ્યમ છે. કારણ કે તેના પરિણામની વિશુદ્ધિ અપુનબંધકથી વધારે અને દેશવિરતિધર આદિથી ઓછી એમ મધ્યમ હોય છે. દેશવિરત અને સર્વવિરતનું જઘન્યાદિ ત્રણે પ્રકારનું વંદન ઉત્કૃષ્ટ છે. કારણકે અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ એ એના પરિણામ અધિક વિશુદ્ધ હોય છે.
- અથવા અપુનબંધક આદિ પ્રત્યેકને આશ્રયીને પણ વંદનના ત્રણ પ્રકાર થઈ શકે છે. તે આ પ્રમાણે અપનબંધક જઘન્યાદિ ત્રણ પ્રકારના વંદનમાંથી ગમે તે વંદન જો મંદ ઉલ્લાસથી કરે તો તે વંદન જઘન્ય, મધ્યમ ઉલ્લાસથી કરે તો તે વંદન મધ્યમ, અને ઉત્કૃષ્ટ ઉલ્લાસથી કરે તો તે ઉત્કૃષ્ટ છે. આ પ્રમાણે અવિરત, દેશવિરત અને સર્વવિરતમાં પણ જાણવું.
પ્રશ્ન - અહીં અપુનબંધક આદિ ચારને ત્રણ પ્રકારની વંદના હોય એમ કહ્યું. તો શું સકુબંધક આદિને ન હોય ?
ઉત્તર– ના, કારણકે શાસ્ત્રમાં (સાધુ) સફબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અને તે સિવાયના બીજા પણ મિથ્યાદષ્ટિને (મી) આ = ભાવથી 'ભેદવાળી વંદના ન હોય એમ કહ્યું છે. કારણકે તે તેની યોગ્યતાથી રહિત છે. તેમને પાઠભેદવાળી વંદના હોય. (૧૭૪) - मिच्छत्तुक्कोसठिई, न बंधिही अपुणबंधगो तेण ।
समयकुसलेहिँ सो पुण, इमेहिँ लिंगेहिँ नायव्वो ॥१७५॥ मिथ्यात्वोत्कृष्टस्थितिं न भन्त्स्यति अपुनर्बन्धकः तेन । સમયjશ: + પુનઃ મ તવ્ય: ૧૭ધા/
જે જીવ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને હવે ક્યારેય નહિ બાંધશે, એથી તે જીવને શાસ્ત્રજ્ઞાતાઓએ અપુનબંધક કહ્યો છે. અપુનબંધક જીવ આ (= હવે પછીની ગાથામાં કહેવાશે તે) લિંગોથી જાણી શકાય છે. (૧૭૫) . पावं न तिव्वभावा, कुणइ न बहु मन्नए भवं घोरं ।
उचियट्टिइं च सेवइ, सव्वत्थ वि अपुणबंधो त्ति ॥१७६॥
૭૯