________________
ચૈત્યવંદન મહાભાષ્ય
तथैव च तद्वृद्धिभावाभावाभ्यां च । द्रव्यं द्रव्यवन्दनमतरच्च भाववन्दनं द्रव्येतरे तयोर्विशेषो भेदो द्रव्येतरविशेषः । इति गाथार्थः । । पञ्चाशक ३/१०।।
કાલ, વિધિ, તદ્ગતચિત્ત વગેરેથી તથા ચૈત્યવંદનવૃદ્ધિના ભાવથી અને અભાવથી દ્રવ્ય અને ભાવ વંદનામાં ભેદ છે. અર્થાત્ સૂત્રોક્ત નિયત સમયે ચૈત્યવંદન કરવું, નિસીહિત્રિક આદિ વિધિપૂર્વક ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન કરતાં તેમાં જ ઉપયોગ રાખવો, સ્તવન વગેરે અધિક બોલીને ચૈત્યવંદનની વૃદ્ધિ કરવી, (અથવા) ચૈત્યવંદનની વૃદ્ધિ માટે સૂત્રો શુદ્ધ અને શાંતિથી બોલવાં વગેરે ભાવવંદનનાં લક્ષણો છે. નિયત સમયે ચૈત્યવંદન ન કરવું, નિસીહિત્રિક આદિ વિધિનું પાલન ન કરવું, ચૈત્યવંદનમાં ઉપયોગ ન રાખવો, સ્તવન વગેરે. બોલવું નહિ (અથવા) સૂત્રો જલદી જલદી ગમે તેમ બોલીને ચૈત્યવંદન જલદી પતાવી દેવું વગેરે દ્રવ્યવંદનનાં લક્ષણો છે.
ત્રણ નિસીહિ, ત્રણ પ્રદક્ષિણા, ત્રણે પ્રણામ, ત્રણ પ્રકારની પૂજા, ત્રણ અવસ્થા ભાવવી, ત્રણ દિશામાં નિરીક્ષણનો ત્યાગ કરવો, ત્રણવાર પાદભૂમિનું પ્રમાર્જન, વર્ણાદિ ત્રણ, ત્રણ મુદ્રા અને ત્રણ પ્રકારનું પ્રણિધાન આ ચૈત્યવંદનનો વિધિ છે. (૮૫૩)
इह कस्सइ होज्ज मई, नियाणकरणं इमं तु पच्चक्खं । जं पत्थणपणिहाणं, कीरइ परिथूलबुद्धिहिं ॥८५४ ॥ इह कस्यचिद् भवेद् मतिर्निदानकरणमिदं तु प्रत्यक्षम् । यत् प्रार्थनाप्रणिधानं क्रियते परिस्थूलबुद्धिभिः ।। ८५४ ।।
અહીં કોઈને એવી મતિ થાય કે આ પ્રાર્થનાપ્રણિધાન પ્રત્યક્ષ નિદાનકરણ છે, અર્થાત્ પ્રાર્થનાપ્રણિધાન એ નિદાન છે. કારણકે અત્યંત સ્થૂલ બુદ્ધિવાળાઓ પ્રાર્થનાપ્રણિધાન કરે છે (સૂક્ષ્મબુદ્ધિવાળાઓ નથી કરતા).
વિશેષાર્થઃ– પ્રાર્થનાપ્રણિધાન એટલે પ્રાર્થનારૂપ પ્રણિધાન, અથવા પ્રાર્થના ગર્ભિત પ્રણિધાન. પ્રાર્થના એટલે માગણી. પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા. (૮૫૪)
૩૬૬