________________
ચૈત્યવદન મહાભાષ્ય
वित्तिकिरियाऽविरोहो, अववायनिबंधणं गिहत्थाणं । किरियंतरकालाइक्कमाइभावो सुसाहूणं ॥८७६॥ वृत्तिक्रियाऽविरोधोऽपवादनिबन्धनं गृहस्थानाम् । . क्रियान्तरकालातिक्रमादिभावः सुसाधूनाम् ।।८७६।।
આજીવિકાના ઉપાયનો વિરોધ એ ગૃહસ્થોને અપવાદનું કારણ છે અને અન્ય ક્રિયાના કાલનો અતિક્રમ વગેરેનું થવું એ સાધુઓને અપવાદનું કારણ છે.
વિશેષાર્થ– આજીવિકાના ઉપાયનો વિરોધ એટલે આજીવિકાના ઉપાયને ધક્કો લાગવો. આજીવિકાના ઉપાયને ધક્કો લાગે તે રીતે ચૈત્યવંદન કરવામાં આવે તો સંભવ છે કે આજીવિકાનો વિચ્છેદ થાય. આજીવિકાનો વિચ્છેદ થતાં ગૃહસ્થની ધર્મની અને વ્યવહારની બધી ક્રિયાઓ સીદાય (= જે રીતે થવી જોઈએ તે રીતે ન થાય.)
ગૃહસ્થ આજીવિકા બંધ થાય તે કાળે જિનપૂજા કરે તો અવસરે જરૂરી ઔચિત્ય આદિનું પાલન ન કરી શકે, ધનના અભાવે સ્વજનો દુઃખનાં કારણે આર્તધ્યાન આદિ કરે, ધર્મથી વિમુખ બની જાય, જૈનેતરો પણ આવી પરિસ્થિતિ જોઈને ધર્મની નિંદા કરે, પોતે પણ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ જતાં આર્તધ્યાન આદિ કરે.... આમ પરિણામે ઘણું નુકશાન થાય. બુદ્ધિશાળી માણસ પરિણામ તરફ જુએ છે. બુદ્ધિશાળી માણસ વર્તમાનમાં લાભ દેખાય, પણ પરિણામે નુકશાન થાય તેવા કાર્યને છોડી દે છે, અને જે કાર્યથી વર્તમાનમાં થોડુંક નુકશાન હોવા છતાં પરિણામે લાભ દેખાય તે કાર્ય કરે છે.
અન્ય ક્રિયાના કાલનો અતિક્રમ વગેરે સાધુઓને અપવાદનું કારણ છે. જેમકે- ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાથી ભિક્ષાનો કાળ વીતી જાય તેમ હોય, ગ્લાન સાધુની સેવામાં હાનિ થાય તેમ હોય, ગુરુભક્તિમાં ખામી આવે તેમ હોય, વિહારમાં વિલંબ થતો હોય વગેરે પ્રસંગે અપવાદથી ઉત્કૃષ્ટ સિવાય અન્ય કોઈ ચૈત્યવંદન કરે. (૮૭૬)
૩૭૬