________________
ચૈત્યવદન મહાભાષ્ય
શાસ્ત્રોમાં સંભળાય છે કે શાસન દેવોએ શ્રીકાંતા, મનોરમા, સુભદ્રા અને અભય વગેરેનું સાંનિધ્ય કર્યું હતું. (= પ્રગટ થઈને સહાય આપી હતી.)
વિશેષાર્થ – મનોરમા સતીનો વૃત્તાંત સંક્ષેપમાં આ પ્રમાણે છે– અભયારાણીએ સુદર્શન શેઠ ઉપર અનાચારનો આરોપ મૂક્યો. આથી રાજાએ સુદર્શનશેઠને શૂળી ઉપર ચઢાવીને વધ કરવાની સેવકોને આજ્ઞા આપી. આથી રાજસેવકો સુદર્શનશેઠને શૂળી ઉપર ચઢાવવા માટે લઈ જવા લાગ્યા. આ જાણીને સુદર્શનશેઠની પત્ની મનોરમાએ જિનમંદિરના ગભારામાં જઈને જિનપૂજા કરીને કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગમાં તેણે શાસનદેવને મનમાં કહ્યું કે- હે જિનશાસન દેવો ! તમે સાંભળો. કલંકરહિત શ્રાવકને આ ઉપદ્રવ આવ્યો છે. જો તમે સાંનિધ્ય કરશો તો હું કાયોત્સર્ગ પારીશ, અન્યથા મારે અનશન છે. પછી તેણે આ પ્રમાણે દિવ્ય વાણી સાંભળી– હે વત્સ ! ખિન્ન ન થા, અમે સાંનિધ્ય કરીશું. આ તરફ રાજસેવકોએ સુદર્શન શેઠને શૂળી ઉપર ચઢાવ્યા. તે જ વખતે શૂળી સુવર્ણકમળનું આસન બની ગયું.
સુભદ્રાસતીનો વૃત્તાંત સંક્ષેપમાં આ પ્રમાણે છે– એક વાર તપસ્વી એના ઘરે ભિક્ષા માટે પધાર્યા. ઘાસનું એક તણખલું પવનથી ઉડીને તેમની આંખમાં પડ્યું. શરીરની કોઈપણ જાતની સેવા નહિ કરનારા તે તપસ્વીએ આંખમાંથી તણખલું કાઢ્યું નહિ. ભિક્ષા આપતાં સુભદ્રાને તપસ્વીની આંખમાં પીડા થતી હોવી જોઈએ એવી શંકા થઈ. તેથી તેણે જીભથી જલદી આંખમાંથી તણખલું કાઢી નાખ્યું. તે વખતે સુભદ્રાના સેંથામાંથી સિજૂર તપસ્વીના કપાળે ચોંટી ગયું. માતાએ બુદ્ધદાસને કપાળમાં અલ્પસિન્દરના ચિહ્નવાળા મુનિને બતાવતાં કહ્યું હે વત્સ! સતી વહુને જો. ચિહ્નના બળે બુદ્ધદાસ પણ માતાના કથનને માનીને સુભદ્રા ઉપર વિરાગવાળો થયો. તેણે વિચાર્યું કે- જો આ મહા ભાગ્યવંતી પણ નિંદ્ય કાર્ય કરે છે તો નિરાધાર અને વ્યાકુળ બનેલા ગુણો પાતાલમાં ચાલ્યા જાઓ. પતિને સ્નેહ વગરના જોઈને મહાસતીએ વિચાર્યું કે, દોષનાં મૂળવાળા આ ગૃહસ્થાવાસમાં કલંક લાગે એ આશ્ચર્યકારી નથી. પણ અમૃત જેવા નિર્મલ શ્રી જિનશાસનનો ઓચિંતો આ જે અવર્ણવાદ થયો તે મારા
૩૧૭