________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
પ્રભાવથી એટલે મહાત્મ્યથી. ભગવાન એટલે ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત. ભવનિર્વેદ વગેરે શબ્દોનો ભાવાર્થ આ પ્રમાણે છે
(૧) ભવનિર્વેદઃ– સંસાર ઉપર કંટાળો– અણગમો. ધર્મસાધનામાં આ ગુણ પાયાનો છે. ભવનિર્વેદ વિનાનો ધર્મ એટલે પાયા વિનાનું મકાન. ધર્મ મોક્ષ માટે છે. જેને સંસાર ઉપર કંટાળો નથી– રાગ છે તે મોક્ષ માટે પ્રયત્ન કેવી રીતે કરે ? કારણકે સંસાર અને મોક્ષ બંને વિરુદ્ધ છે. જેને સંસાર ઉપર રાગ છે તેને મોક્ષ ઉપર રાગ નથી. જેને મોક્ષ ઉપર રાગ નથી તે મોક્ષ માટે પ્રયત્ન કરે નહિ. સંસાર ઉપર રાગવાળા જીવમાં કદાચ કોઈ કારણસર બહારથી મોક્ષપ્રયત્ન (= ધર્મ) દેખાતો હોય તો પણ તે વાસ્તવિક મોક્ષપ્રયત્ન નથી, કિન્તુ જડની ક્રિયા તુલ્ય છે..
(૨) માર્ગાનુસારિતાઃ— માર્ગને અનુસરવું તે માર્ગાનુસારિતા. તાત્ત્વિકસત્ય માર્ગને અનુસરવું તે માર્ગાનુસારિતા. તાત્ત્વિક-સત્યમાર્ગ તો જ અનુસરાય જો કદાગ્રહ ન હોય. કદાગ્રહી માણસ પોતાનું માનેલું જ સાચું છે એમ માને. આથી એ બીજા પાસે સાચી વાત સમજવા પ્રયત્ન કરે નહિ. કદાચ બીજા તેને
સામે આવીને સમજાવે તો પણ તે માનવા તૈયાર ન થાય. કદાગ્રહના કારણે
.
સાચી વાત સમજાય નહિ, સમજાય તો પણ પોતાનું માનેલું ખોટું હોવા છતાં છૂટે નહિ, આથી કદાગ્રહી સત્યને પામી શકે નહિ, કદાગ્રહથી સાચું પમાય નહિ એટલું જ નહિ બલકે પામેલું પણ જતું રહે. સાચું પામ્યા પછી જો કોઈ વિષયમાં પોતાની ગેરસમજ થઈ જાય અને બીજાના સમજાવવા છતાં અહંકાર આદિનાં કારણે કદાગ્રહ થઈ જાય તો પામેલું સાચું જતું રહે. નિષ્નવો આ વિષયમાં દૃષ્ટાંત રૂપ છે. આથી સત્યને પામવા કદાગ્રહ ઉપર વિજય મેળવવો જોઈએ. કદાગ્રહ ઉપર વિજય મેળવીને સત્યને અનુસરવાની વૃત્તિ તે માર્ગાનુસારિતા. કદાગ્રહરહિત માણસ ખોટા રસ્તે હોય તો પણ સીધા-સાચા રસ્તે આવી જાય છે. અપુનર્બંધક જીવ આમાં દૃષ્ટાંતરૂપ છે. અપુનર્બંધક જીવ હજી સમ્યગ્દર્શનને પામેલો ન હોવાથી સાચા માર્ગથી દૂર છે, છતાં તેનામાં કદાગ્રહ ન હોવાથી તેવાં નિમિત્તો મળતાં (સમ્યગ્દર્શનાદિ) સાચા માર્ગને પામી જાય છે. આથી કદાગ્રહ
૩૫૫