________________
ચૈત્યવદન મહાભાષ્ય
ન થઈ શકે આથી દિલથી ગુરુજનની પૂજા કરનાર જીવમાં અહંકાર ઘટ્યો હોવાથી ધિર્મ પામવાની લાયકાત આવી છે એ સૂચિત થાય છે. ધર્મ પામવાની લાયકાત માટે કૃતજ્ઞતા ગુણ પણ જરૂરી છે. ગુરુજન પૂજાથી કૃતજ્ઞતા ગુણ પણ સૂચિત થાય છે. ગુરુજનની પૂજા કેવી રીતે કરવી તે અંગે યોગબિંદુ ગ્રંથ (ગા. ૧૧૧ વગેરે) માં નીચે મુજબ જણાવ્યું છે
' (૧) માતા, પિતા આદિને સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત નમસ્કાર કરવો. કારણસર સાક્ષાત્ નમસ્કાર ન થઈ શકે તો મનમાં માતા આદિની સ્પષ્ટ ધારણા કરીને મનથી નમસ્કાર કરવો. (૨) ગુરુજન બહારથી આવે ત્યારે ઊભા થવું, બેસવા આસન આપવું, વગેરે વિનય કરવો. (૩) ગુરુજન પાસે ઉદ્ધતાઈનો ત્યાગ કરી એમનાથી નીચા આસને બેસવું-બેઠક નીચી રાખવી. પગ ઉપર પગ ન ચઢાવવા વગેરે રીતે વિવેકથી બેસવું. (૪) ઝાડોપેશાબ વગેરે કરતાં કે ઝાડો-પેશાબ વગેરેથી અપવિત્ર જગ્યામાં ગુરુજનના નામનો ઉચ્ચાર ન કરવો. (૫) ક્યારે પણ એમનો અવર્ણવાદ (-નિંદા, પરાભવ વગેરે) ન સાંભળવો. (૬) સ્વશક્તિ પ્રમાણે વસ્ત્ર, ભોજન, અલંકાર વગેરે સારાં આપવાં. (૭) સદા તેમની પાસે દેવપૂજા, અતિથિભક્તિ, અનુકંપાદાન વગેરે પરલોકમાં હિતકર સારાં કામો કરાવવાં. (૮) તેમને જે પ્રવૃત્તિ (-વ્યવહાર)ન ગમતી હોય તે પ્રવૃત્તિનો ત્યાગ કરવો અને ગમતી પ્રવૃત્તિ કરવી. અહીં એટલું ખ્યાલમાં રાખવું કે આ વાત ધર્મ સિવાય છે. અર્થાત્ ગુરુજનને * અણગમતું ન કરવામાં અને ગમતું કરવામાં ધર્મને બાધ ન આવવો જોઈએ. જો ગુરુજનને અણગમતું ન કરવામાં ધર્મને બાધ આવતો હોય (ધર્મથી વંચિત રહેવું પડતું હોય કે અધર્મ (પાપ) થતો હોય) તો અણગમતું પણ કરવું જોઈએ. તેવી રીતે ગુરુજનને ગમતું કરવામાં ધર્મને બાધ આવતો હોય તો ગમતું ન કરવું જોઈએ. અર્થાત્ ધર્મને બાધ ન આવે તેમ ગુરુજનને અનુકૂળ વર્તવું. (૯) ગુરુજનની આસન, શય્યા, પલંગ, વાસણ વગેરે વસ્તુનો ઉપયોગ નહિ કરવો જોઈએ. અર્થાત્ જે વસ્તુ ગુરુજન વાપરતા હોય તે વસ્તુ અન્ય માટે નહિ વાપરવી જોઈએ. જેમકે માતા જે થાળીમાં જમતા હોય તે થાળીમાં બીજા કોઈએ
૩૫૯