________________
ચૈત્યવદન મહાભાષ્ય
કલ્યાણેકપર્વ આદિ પ્રસંગે અતિશય ભક્તિરાગથી આનાથી અધિક પણ કરવામાં આવતી ચૈત્યવંદના ભક્તોને લાભ કરનારી જ છે. (કારણકે) ધર્મધ્યાનની વૃદ્ધિ થાય છે. હૃદયમાં જિનેન્દ્રોના ગુણો વિકસે છે = ખીલે છે. જિનેન્દ્રો ઉપર કર્મરૂપ કાષ્ઠને બાળવા માટે અગ્નિસમાને ભક્તિ ઉછળે છે. અન્ય ભવ્યજીવોને ઉત્તમ માર્ગ ઉપદેશાયેલો થાય છે. આ પ્રમાણે વારંવાર ચૈત્યવંદન કરવામાં વિવિધ લાભો થાય છે.
વિશેષાર્થ – ચૈત્યવંદન કરનારાઓને જોઈને અન્ય ભવ્ય જીવોના મનમાં થાય કે આપણે પણ આ પ્રમાણે કરવું જોઈએ, અને તેથી તેઓ પણ ચૈત્યવંદન કરતા થઈ જાય છે. ચૈત્યવંદન કરવાથી આ પ્રમાણે અન્ય ભવ્ય જીવોને ઉત્તમ માર્ગ વગર બોલે ઉપદેશામેલો થાય છે. (૮૧૦ થી ૮૧૨)
સન્ન – 1 : भावुल्लासेण विणा, अहिगपवित्ती न होइ धम्मम्मि । सो खलु सुप्पणिहाणं, भन्नइ विनायसमएहिं ॥८१३॥
દ– ૧ भावोल्लासेन विनां अधिक्रप्रवृत्तिर्न भवति धर्मे । स खलु सुप्रणिधानं भण्यते विज्ञातसमयैः ।।८१३।।
વળી બીજું– * ભાવોલ્લાસ વિના ધર્મમાં અધિક પ્રવૃત્તિ થતી નથી. શાસ્ત્રજ્ઞાતાઓ ભાવોલ્લાસને શુભધ્યાન કહે છે, અર્થાત્ ભાવોલ્લાસ શુભધ્યાન છે એમ કહે છે.
વિશેષાર્થ- ભાવોલ્લાસ એટલે શુભભાવના કારણે અંતરમાં થતો હર્ષ. અથવા ભાવોલ્લાસ એટલે શુભભાવની વૃદ્ધિ. (૮૧૩)
सुव्वइ दुग्गयनारी, जयगुरुणो सिंदुवारकुसुमेहि। पूयापणिहाणेणं, उववण्णा तियसलोयम्मि ॥८१४॥ श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिन्दुवारकुसुमैः । पूजाप्रणिधानेन उपपत्रा त्रिदशलोके ।।८१४।।
૩૩૭