________________
ચૈત્યવદન મહાભાષ્ય
- અહીં વિશેષ આટલું સમજવાનું છે કે જે વૈયાવચ્ચ કરનારના નિમિત્તે આ કાયોત્સર્ગ કરવામાં આવે છે, એનાથી એમને વૈયાવચ્ચ કરવાનો ભાવ વધે છે, એ આ સૂત્રથી જ કહેવાયા જેવું છે. ભલે શબ્દશઃ નહિ તો ગર્ભિત રીતે. સૂત્ર મહર્ષિરચિત છે, મહર્ષિ નિરર્થક વચન-નિષ્ફળ વચન કહે નહિ. એમણે વૈયાવચ્ચ કરનારના નિમિત્તે કાયોત્સર્ગ કરવાનું સૂચવ્યું, એ જ બતાવે છે કે એ કરવાથી વૈયાવચ્ચ કરનારને વૈયાવચ્ચનો ભાવ વધે છે, એ હકીકત છે. માટે તો આ સૂત્રથી કાયોત્સર્ગ કરવાનું કહે છે. એમ જો ભાવ વધવાનું ન બનતું હોય તો સૂત્ર બોલીને એ રીતે કાયોત્સર્ગ કરવાનું નિષ્ફળ જાય, અને એવું કરાવનાર આ સૂત્ર નિરર્થક ઠરે ! માત્ર ઉપચારવિધિ જેવું જ ઠરે ! અર્થાત્ ઔપચારિક વચન ઠરે ! પણ મહર્ષિવચન વ્યભિચારી યાને નિષ્ફળ હોય નહિ. * . . - પ્રશ્ન – કાયોત્સર્ગ કરનાર અહીં જેના નિમિત્તે કાયોત્સર્ગ કરે છે એની દૂર રહેલા એ કાયોત્સર્ગના વિષયભૂત વૈયાવચ્ચકારીને ખબર હોય જ એવું બનતું નથી. પછી એનો ભાવ શી રીતે વધે ? ખબર હોય તો તો એથી એ વૈયાવચ્ચકર કાયોત્સર્ગ. કરનાર ભાવિકની ઈચ્છા જાણીને વૈયાવચ્ચમાં ઉત્સાહિત થય એ બને. પરંતુ એવું ન બનવાથી કાયોત્સર્ગ નિષ્ફળ નહિ ?
ઉત્તર:- ના, કાયોત્સર્ગ નિષ્ફળ નથી, કેમકે ભલે જેને ઉદ્દેશીને કાયોત્સર્ગ કરાય છે તેને એની ખબર ન હોય, પરંતુ કાયોત્સર્ગ કરનારને તો અવશ્ય શુભફળ મળે છે. અહીં મૂળની વ્યાખ્યા ટીકાકાર શ્રી મુનિચંદ્રસૂરિજી મહારાજ આ પ્રમાણે લખે છે–
... तदपरिज्ञाने त्यादि, -तैः =वैयावृत्त्यकरादिभिः, अपरिज्ञानेऽपि स्वविषयकायोत्सर्गस्य , अस्मात्' कायोत्सर्गात् 'तस्य' कायोत्सर्गकर्तुः, शुभसिद्धौ'-विघ्नोपशमपुण्यबन्धादिसिद्धौ, 'इदमेव' = कायोत्सर्गप्रवर्तकं वचनं, 'ज्ञापकं = गमकम् , आप्तोपदिष्टत्वेन अव्यभिचारित्वात् । प्रयोगो, यदाप्तोपदेशपूर्वकं कर्म तद्विषयेणाज्ञातमपि कर्तुरिष्टफलकारि भवति यथा સ્તોમનેસ્તમનાદ્રિ ....
૩૨ ૫.