________________
ચૈત્યવદન મહાભાષ્ય
- અરિહંતોએ મોક્ષમાર્ગને સમ્યગ્દર્શનથી (= અવિપરીતદર્શનથી) જોયો છે, જ્ઞાનથી યથાવસ્થિત જાણ્યો છે, અને ચરણ-કરણ વડે આચર્યો છે. ' ' વિશેષાર્થ– તેમાં વ્રતો વગેરે ચરણ છે અને પિંડવિશુદ્ધિ વગેરે કરણ છે. કહ્યું છે કે- ૫ મહાવ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૩ જ્ઞાનાદિ, ૧૨ તપ, ૪ ક્રોધાદિનિગ્રહ આ ચરણ છે. ૪ પિંડ. વિશદ્ધિ, ૫ સમિતિ, ૧ર ભાવના, ૧ર પ્રતિમા, ૫ ઈંદ્રિયનિરોધ, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ આ કરણ છે. (૩૩૦)
भवभीयाण जियाणं, सरणागयवच्छला जओ ताणं। .. होति जिणेंदा नियमा, सरणदया तेण वुच्चंति ॥३३॥ भवभीतानां जीवानां शरणागतवत्सला यतस्तेषाम् । . भवन्ति जिनेन्द्रा नियमात् शरणदयास्तेनोच्यन्ते ।।३३१।। ..
શરણાગત વત્સલ અરિહંતો ભવથી ભય પામેલા જીવોનું નિયમો રક્ષણ કરનારા થાય છે, માટે અરિહંતો શરણદાતા કહેવાય છે.
વિશેષાર્થ – શરણાગત વત્સલ એટલે શરણે આવેલા જીવોને સ્નેહ આપનાર. જે શરણે આવે તેનું જ અરિહંતો રક્ષણ કરે. ભવથી ભય પામેલા જીવો જ અરિહંતના શરણે જાય. માટે અહીં ભવથી ભય પામેલા જીવોનું રક્ષણ કરનારા થાય છે એમ કહ્યું. (૩૩૧)
बोही जिणेहि भणिया, भवंतरे सुद्धधम्मसंपत्ती। जिणसंथवेण लब्भइ, बोहिदया तेण वुच्चंति ॥३३२॥ बोधिर्जिनैणिता भवान्तरे शुद्धधर्मसं(प्राप्तिः)पत्तिः । जिनसंस्तवेन लभ्यते बोधिदयास्तेनोच्यन्ते ।।३३२।।
ભવાંતરમાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિને અરિહંતોએ બોધિ કહી છે. અરિહંતોની ભાવપૂર્વક સ્તુતિ કરવાથી બોધિ પ્રાપ્ત કરી શકાય છે, માટે અરિહંતો બોધિદાતા કહેવાય છે. (૩૩૨)
૧૫૦