________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
જિનવચનથી ભાવિત થયેલા અને ઉદાર હૃદયવાળા ધાર્મિક લોકોને પોતાનામાં અને પરમાં કોઈ ભેદ નથી. તેથી સ્વ-પર બંનેને પીડા આપવાનો ત્યાગ કરવો જોઈએ.
વિશેષાર્થ – અહીં ગ્રંથકારનો કહેવાનો આશય એ છે કે– જેમ બીજા જીવોને પીડા ન આપવી જોઈએ તેમ પોતાને પણ પીડા ન આપવી જોઈએ. અકાળે અવિધિથી મરણ પામવામાં પોતાને પીડા આપવાનું થાય છે. કારણ કે અકાળે અવિધિથી મરણ પામવામાં અસમાધિ થાય. અસમાધિ એટલે જે પાંડા. અસમાધિથી જીવ વર્તમાનમાં દુઃખી થાય છે અને અશુભ કર્મબંધ દ્વારા ભવાંતરમાં , પણ દુઃખી થાય છે.
અજ્ઞાન ધાર્મિક લોકો બીજાને પીડા ન આપવી જોઈએ એ હજી સમજી શકે છે, પણ પોતાને પીડા ન આપવી જોઈએ એ સમજી શકતા નથી. આથી બીજાને પીડા આપવાનું છોડી દેનારાઓ પણ અજ્ઞાનતાના કારણે પોતાને પીડા આપનારા બને છે. આવા અજ્ઞાન ધાર્મિકોને નજર સામે રાખીને ગ્રંથકારે પોતાને પણ પીડા ન આપવી જોઈએ એ વિશે ભાર મૂકવા માટે ૪પ૭-૪૫૮ એ બે ગાથાઓ કહી છે. (૪૫૯)
अह सत्तमविरईए, चउरो आलावगा इमे होति । जाव य अरिहंताणं, भगवंताणं च इच्चाई ॥४६०॥ अथ सप्तमविरतौ चत्वार आलापका इमे भवन्ति । यावच्च अर्हतां भगवतां चेत्यादि ।।४६०।।
मूलम्- “जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि” इति ।
હવે સાતમી સંપાદામાં ચાર આલાવા (પદો) આ પ્રમાણે છે– નીવે રિહંતાઈ ભવંતા વગેરે.
વિશેષાર્થ – નીવ રહંતામાં પહેલું પદ, માવંતા બીજું પદ, નમુવારે ત્રીજું પદ, ને પારે ચોથું પદ, એમ ચાર પદ . (૬૦)
૨૦૨