________________
ચૈત્યવદન મહાભાષ્ય
.. एते कायोत्सर्ग कुर्वता विबुधेन दोषास्तु ।
सम्यक् परिहर्तव्या जिनप्रतिक्रुष्टा इति कृत्वा ।।४९३।।
કાયોત્સર્ગ કરનાર બુધ પુરુષે આ દોષોનો સારી રીતે ત્યાગ કરવો. કારણકે જિનેશ્વરોએ આ દોષોનો નિષેધ કર્યો છે.
વિશેષાર્થ – સારી રીતે ત્યાગ કરવો એટલે જરા પણ દોષ ન લાગે તે રીતે ત્યાગ કરવો. (૪૯૩)
एए सामनेणं, दोसा एगवीस होंति उस्सग्गे। ગણિકા[રિવિલેતાગો, શ રૂ ન દિધતિ ૪૨૪ . તે સામાન્ય રોષ વંતિર્મવન્તિ ૩ : : अधिकारिविशेषात् केचित् कस्यचिद् न हि घटन्ते ।।४९४।। ..
કાયોત્સર્ગમાં સામાન્યથી આ એકવીસ દોષો થાય છે. અધિકારી વિશેષની અપેક્ષાએ કોઈક દોષો કોઈકને ઘટતા નથી = થતા નથી. (૪૯૪)
लंबुत्तर-थणछायण, संजइदोसा न हुंति समणीणं । वहुलंबुत्तर-थणछायणं च दोसा न सड्डीणं ॥४९५॥ लम्बोत्तर-स्तनच्छादन संयतीदोषा न भवन्ति श्रमणीनाम् । वधू-लम्बोत्तर-स्तनच्छादनं च दोषा न श्राद्धीनाम् ।।४९५।।
લંબુન્નર, સ્તનછાદન અને સંયતી આ ત્રણ દોષો સાધ્વીઓને ન હોય. વધુ, લંબુન્નર, અને સ્તનછાદન. એ દોષો શ્રાવિકાઓને ન હોય.
વિશેષાર્થ – સાધ્વીઓનું સંપૂર્ણ શરીર ઢાંકેલું હોવું જોઈએ. આથી તેમને લંબુત્તર વગેરે દોષો ન હોય. શ્રાવિકાની દૃષ્ટિ નીચી હોવી જોઈએ. કારણકે નીચી દૃષ્ટિથી લજ્જા ગુણ વ્યક્ત થાય છે. લજ્જા સ્ત્રીનું ભૂષણ છે. માટે શ્રાવિકાને વધુ દોષ ન હોય. શ્રાવિકાને સંયતીદોષ પણ ન હોય. અહીં એનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. પણ ગાથામાં રહેલા એ શબ્દના પ્રયોગથી સમજી લેવો જોઈએ. (૪૯૫)
૨૧૪