________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
' વિશેષાર્થ – અહીં બોધિલાભ મુખ્ય છે. બીજા પદો બોધિલાભના વિશેષણો છે. તે આ પ્રમાણે- બોધિલાભની માગણી આરોગ્ય (= મોક્ષ) માટે છે. એથી મારો યા વધતામ: ગારોથવોલિનામ: એવો મધ્યમપદલોપી સમાસ છે. બીજું વિશેષણ સમાધિવર છે. સમાધિથી વર= શ્રેષ્ઠ એવો બોધિલાભ મને આપો. અહીં સમાધિથી શ્રેષ્ઠ એવા બોધિલાભની માગણી એટલા માટે કરી છે કે બોધિલાભ થવા છતાં સમાધિ વિના મોક્ષ ન થાય. મોક્ષ માટે બોધિલાભ જોઈએ. બોધિલાભ મોક્ષ ત્યારે જ સાધી આપે કે જ્યારે સમાધિની સહાયતા મળે. માટે અહીં સમાધિથી શ્રેષ્ઠ બોધિલાભની માગણી કરી છે. સમાધિના દ્રવ્યસમાધિ અને ભાવસમાધિ એમ બે ભેદ છે. ઔષધ વગેરે દ્રવ્યસમાધિ છે. જ્ઞાન-દર્શન-ચરિત્ર ભાવ સમાધિ છે. ત્રીજું વિશેષણ ઉત્તમ છે. ઉત્તમ બોધિલાભ મને આપો.
પ્રશ્ન – બોધિલાભ તો ઉત્તમ જ છે. તો પછી અહીં બોધિલાભનું ઉત્તમ વિશેષણ કેમ મૂક્યું?
ઉત્તર – બોધિલાભ ઉત્તમ હોવા છતાં તેમાં અનેક તરતમતા હોય છે. આથી અહીં એવો ઉત્તમ બોધિલાભ વિવક્ષિત છે કે જે બોધિલાભ સર્વ પ્રધાન=સર્વોત્કૃષ્ટ સમાધિનો સાધક હોય. સમાધિની પણ અનેક તરતમતા હોય છે. આથી અહીં સર્વોત્કૃષ્ટ સમાધિ કહી છે. આમ અહીં એટલો બધો ઉચ્ચ પ્રકારનો બોધિલાભ વિવક્ષિત છે કે જે બોધિલાભ સામાન્ય નહિ, મધ્યમ નહિ, કિંતુ સર્વોત્કૃષ્ટ સમાધિને સાધી આપે.
" આ વિષે આવશ્યક નિર્યુક્તિની ટીકા આ પ્રમાણે છે. अरोगस्य भावः आरोग्य-सिद्धत्वं, तदर्थ बोधिलाभः, प्रेत्य जिनधर्मप्राप्तिर्बोधिला
भोऽभिधीयते. तं. स चानिदानो मोक्षायैव प्रशस्यते इति, तदर्थमेव च तावत किं? तत आहसमाधानं समाधिः, सच द्रव्य-भावाभेदाद् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगं (? यदुपयोगात्) स्वास्थ्यं भवति येषां वाऽविरोध इति,भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेव परमस्वास्थ्ययोगादिति, यतश्चायमित्थं द्विधाऽतो द्रव्यसमाधिव्यवच्छेदार्थमाह-वरं प्रधानं, भावसमाधिरित्यर्थः, असावपि तारतम्यभेदादनेकधैव, अतः आह- उत्तमं = सर्वोत्कृष्टम्.
. ટીકાનો અર્થ વિશેષાર્થમાં આવી ગયો છે. શેષાં વાગવિરોધ: એ પદોનો અર્થ આ પ્રમાણે છે- અથવા જે દ્રવ્યોનો પરસ્પર વિરોધ ન હોય તે
૨૬૧