________________
ચૈત્યવદન મહાભાષ્ય
પ્રબં– શ્રી નેમિજિનની સ્તુતિ કરવાનું કારણ શું છે ?
ઉત્તર- લોકમાં અતિ અદ્ભૂત એવા વિશેષ ચરિત્રનું સ્મરણ કરવા માટે શ્રી નેમિનિની સ્તુતિ કરાય છે. (૭૬૬)
કવાभत्ती नमिजिणेदे, होइ पसिद्धी तहा सुतित्थस्स । कल्लाणयतियपूया-संपायणमेय गाहाए ॥७६७॥ અથવभक्तिर्नेमिजिनेन्द्रे भवति प्रसिद्धिः तथा सुतीर्थस्य । कल्याणकत्रिकपूजासंपादनमेतद्गाथया ।।७६७।।
અથવા
આ ગાથાથી શ્રીનેમિજિનેન્દ્રની ભક્તિ થાય છે, સુતીર્થની પ્રસિદ્ધિ થાય છે, ત્રણ કલ્યાણકની પૂજાનું સંપાદન થાય છે - ત્રણ કલ્યાણકની પૂજા કરાય છે. (૭૬૭) •
सुकयमणुमोइअव्वं, मुणो पुणो साणुबंधफलहेऊ । इय वंदिय देवाणं, भुज्जो अणुकित्तणं कुणइ ॥७६८॥ सुकृतमनुमोदितव्यं पुनः पुनः सानुबन्धफलहेतुः । इति वन्दित्वा देवेभ्यो भूयोऽनुकीर्तनं करोति ।।७६८।।
સુકૃતનું વારંવાર અનુમોદન કરવું જોઈએ. વારંવાર સુકૃતનું અનુમોદન અનુબંધવાળા ફલનું કારણ છે. આથી દેવોને વંદન કરીને ફરી દેવોનું અનુકીર્તન કરે છે.
વિશેષાર્થ – સુકૃત કરતી વખતે અનુબંધરહિત પુણ્ય બંધાયું હોય, અને પછી વારંવાર તે સુકૃતની અનુમોદના કરવામાં આવે તો એ પુણ્ય અનુબંધવાળું બને. આમ અનુમોદનાનું ઘણું મહત્ત્વ છે. પ્રસ્તુતમાં પૂર્વે જે દેવવંદનરૂપ સુકૃત કર્યું છે તેની અનુમોદના નિમિત્તે ચારિ એ ગાથા બોલે છે. (૭૬૮) .
* IT
૩૧૧