________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
गर्भगते यद् जाता मङ्गलदेव्या एतादृशी सुमतिः । तुष्टेन ततो राज्ञा जिनस्य सुमतिः कृतं नाम ।।५६५।। અહીં વિશેષ કારણ આ પ્રમાણે છે
રોગથી એક વણિકનું જલદી મૃત્યુ થયું. તેની બે પત્નીઓ હતી. બાળક એક હતો. બંને શોક્યો બાળકને ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો, અર્થાત્ બંને શોક્યો આ બાળક મારો છે એવા આગ્રહવાળી બની. તે બંનેએ આનો નિર્ણય કરવા મેઘ રાજાને વિનંતી કરી. આ બેમાં કઈ સાચી જાણવી અને કઈ શોક્ય માતા જાણવી એમ રાજાને અતિશય ચિંતા થઈ. રાણીએ ચિંતાનું કારણ પૂછ્યું. રાજાએ કારણ કહ્યું. રાણીએ શોક્યોને કહ્યું: પુત્રના અને ધનના બે ભાગ કરો. શોક્ય માતાએ આનો સ્વીકાર કર્યો. સાચી માતાએ કહ્યું હે દેવી ! આવી આજ્ઞા ન કરો. બધુંય દ્રવ્ય એને આપો. મને પુત્ર આપો. જેથી તેને જીવતો જોઉં. આ સાચી માતા છે એમ જાણીને પુત્ર અને ધન એ બંને એને આપ્યાં. બીજી ખોટી છે એમ જાણીને ગુસ્સે થયેલા રાજાએ બીજીને બહાર કાઢી. ભગવાન ગર્ભમાં હતા ત્યારે મંગલા રાણીને આવી સુંદર મતિ થઈ તેથી ખુશ થયેલા રાજાએ ભગવાનનું સુમતિ એવું નામ કર્યું. (૫૬૦ થી પ૬૫)
पउमं बहुप्पयार, तहवि हु रत्तुप्पलं इहं पगयं ।। तस्सरिसी जस्स पहा, सो खलु पउमप्पहो अरहा ॥५६६॥ पद्मं बहुप्रकारं तथाऽपि खलु रक्तोत्पलमिह प्रगतम् ।
તત્પદ યસ્થ માં સુ વહુ પામોડર્દ દુદ્દા . પદ્મ અનેક પ્રકારના છે. તો પણ અહીં રક્ત પદ્મ પ્રસ્તુત છે. રક્ત પદ્મ જેવી જેની પ્રભા છે તે અરિહંત પદ્મપ્રભ છે. (પ૬૬)
जइ वि इह वासुपुज्जो, एरिसवत्रो तहाऽवि हु विसेसो । पउमसयणम्मि जणणीऍ डोहलो तेण पउमाभो ॥५६७॥ यद्यपि इह वासुपूज्य एताशवर्णस्तथाऽपि खलु विशेषः । पद्मशयने जनन्या दोहदस्तेन पद्माभः ।।५६७।।
=
૨૪૧