________________
ચૈત્યવદન મહાભાષ્ય
व्याख्या:- इह द्रव्यतीर्थं मागधवरदामादि परिगृह्यते, बाह्यदाहादेरेव तत उपशमसद्भावात्, तथा चाह– ‘दाहोपशम' मिति, तत्र, दाहो - बाह्यसन्तापस्तस्योपशमो यस्मिन् तद्दाहोपशमनं, तण्हाइछेअणं ति, तृषः- पिपासायाश्छेदनं, जलसङ्घातेन तदपनयनात्, 'मलप्रवाहणं चैवे'त्यत्र मल: बाह्य एवागसमुत्थोऽभिगृह्यते तत्प्रवाहणं, जलेनैव तत्प्रवाहणात्, ततः प्रक्षालनादिति भावः, एवं त्रिभिरथैः करणभूतैस्त्रिषु वाऽर्थेषु नियुक्तं', निश्चयेन युक्तं नियुक्तं प्रथमव्युत्पत्तिपक्षे प्ररूपितं द्वितीये तु नियोजितं, यस्मादेवं बाह्यदाहादिविषयमेव तस्मात्तन्मांगधादि द्रव्यतस्तीर्थ, मोक्षासाधकत्वादिति गाथार्थः (आवश्यकसूत्रनियुक्तिंगाथा - ૨૦૬૬).
અથવા
અહીં દ્રવ્યતીર્થ તરીકે માગધ-વરદામ વગેરે તીર્થોને જાણવાં, કારણકે તેનાથી બાહ્ય દાહ વગેરેનો જ ઉપશમ થાય છે. ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં તે પ્રમાણે કહે છે– દાહોપશમ, તૃષાછેદન અને મલપ્રવાહને આ ત્રણ અર્થોથી તીર્થ પ્રરૂપાયેલું છે – તીર્થ કહેવાયેલું છે. તેથી તે દ્રવ્યતીર્થ છે,
(૧) દાહોપશમ – દાહ એટલે બાહ્ય (= શારીરિક) સંતાપ. તેનો ઉપશમ જેમાં થાય તે દાહોપશમ, દાહોપશમ કરવાના કારણે માગધ વગેરેને તીર્થ કહેવામાં આવે છે.
(૨) તૃષા છેદન- તૃષાદન એટલે તૃષાને છેદનાર. માંગધ વગેરે તીર્થ જલસમૂહથી પાણીની તૃષાને દૂર કરવાના કારણે તૃષાને છેદનાર છે.
(૩) મલપ્રવાહણ – અહીં શરીરમાં ઉત્પન્ન થયેલો બાહ્ય જ મલ સમજવો. મલપ્રવાહણ એટલે મલને દૂર કરનાર. પાણીથી શરીરને ધોવાથી મેલ દૂર થાય છે. માટે માગધ આદિ તીર્થ પાણીથી જ મેલ દૂર કરનાર છે.
ટીકામાં મળે: રળમૂત: એમ કહીને અર્થોને કરણભૂત કહ્યા છે. કરણ એટલે નિમિત્ત. આ ત્રણ અર્થો નિમિત્તભૂત છે, અર્થાત્ તીર્થ શબ્દના પ્રયોગમાં નિમિત્ત થયેલા છે. તે આ પ્રમાણે– દાહનો ઉપશમ કરે છે એ નિમિત્તે તીર્થ કહેવાય છે. તૃષા દૂર કરે છે એ નિમિત્તે તીર્થ કહેવાય છે. મેલ દૂર કરે છે
૨૨૬