SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય व्याख्या:- इह द्रव्यतीर्थं मागधवरदामादि परिगृह्यते, बाह्यदाहादेरेव तत उपशमसद्भावात्, तथा चाह– ‘दाहोपशम' मिति, तत्र, दाहो - बाह्यसन्तापस्तस्योपशमो यस्मिन् तद्दाहोपशमनं, तण्हाइछेअणं ति, तृषः- पिपासायाश्छेदनं, जलसङ्घातेन तदपनयनात्, 'मलप्रवाहणं चैवे'त्यत्र मल: बाह्य एवागसमुत्थोऽभिगृह्यते तत्प्रवाहणं, जलेनैव तत्प्रवाहणात्, ततः प्रक्षालनादिति भावः, एवं त्रिभिरथैः करणभूतैस्त्रिषु वाऽर्थेषु नियुक्तं', निश्चयेन युक्तं नियुक्तं प्रथमव्युत्पत्तिपक्षे प्ररूपितं द्वितीये तु नियोजितं, यस्मादेवं बाह्यदाहादिविषयमेव तस्मात्तन्मांगधादि द्रव्यतस्तीर्थ, मोक्षासाधकत्वादिति गाथार्थः (आवश्यकसूत्रनियुक्तिंगाथा - ૨૦૬૬). અથવા અહીં દ્રવ્યતીર્થ તરીકે માગધ-વરદામ વગેરે તીર્થોને જાણવાં, કારણકે તેનાથી બાહ્ય દાહ વગેરેનો જ ઉપશમ થાય છે. ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં તે પ્રમાણે કહે છે– દાહોપશમ, તૃષાછેદન અને મલપ્રવાહને આ ત્રણ અર્થોથી તીર્થ પ્રરૂપાયેલું છે – તીર્થ કહેવાયેલું છે. તેથી તે દ્રવ્યતીર્થ છે, (૧) દાહોપશમ – દાહ એટલે બાહ્ય (= શારીરિક) સંતાપ. તેનો ઉપશમ જેમાં થાય તે દાહોપશમ, દાહોપશમ કરવાના કારણે માગધ વગેરેને તીર્થ કહેવામાં આવે છે. (૨) તૃષા છેદન- તૃષાદન એટલે તૃષાને છેદનાર. માંગધ વગેરે તીર્થ જલસમૂહથી પાણીની તૃષાને દૂર કરવાના કારણે તૃષાને છેદનાર છે. (૩) મલપ્રવાહણ – અહીં શરીરમાં ઉત્પન્ન થયેલો બાહ્ય જ મલ સમજવો. મલપ્રવાહણ એટલે મલને દૂર કરનાર. પાણીથી શરીરને ધોવાથી મેલ દૂર થાય છે. માટે માગધ આદિ તીર્થ પાણીથી જ મેલ દૂર કરનાર છે. ટીકામાં મળે: રળમૂત: એમ કહીને અર્થોને કરણભૂત કહ્યા છે. કરણ એટલે નિમિત્ત. આ ત્રણ અર્થો નિમિત્તભૂત છે, અર્થાત્ તીર્થ શબ્દના પ્રયોગમાં નિમિત્ત થયેલા છે. તે આ પ્રમાણે– દાહનો ઉપશમ કરે છે એ નિમિત્તે તીર્થ કહેવાય છે. તૃષા દૂર કરે છે એ નિમિત્તે તીર્થ કહેવાય છે. મેલ દૂર કરે છે ૨૨૬
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy