________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
નાવ શબ્દ કાયોત્સર્ગના કાલ પ્રમાણનું અવધારણ કરવાના અર્થમાં છે. અરિહંતઅનેમાવંતએ બે શબ્દોનું સ્વરૂપ પૂર્વે (નમૃત્યુર્ણસૂત્રના અર્થના વર્ણનમાં) કહી દીધું છે. એ અરિહંત ભગવંતોને નમો અરિહંતાણં (= અરિહંતોને નમસ્કાર થાઓ) એ પ્રમાણે બોલવાથી નમસ્કાર થાય છે. જ્યાં સુધી હુંનમો અરિહંતાએવા ઉચ્ચારણ પૂર્વક અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને કાયોત્સર્ગને ન પારુંતેટલા કાળ સુધી હું આત્માને વોસિરાવું છું એ પ્રમાણે પદોનો સંબંધ છે. કેવા પ્રકારની ક્રિયાથી આત્માને વોસિરાવું છું ? (એ પ્રશ્નના જવાબમાં કહે છે કે) (વ્હાય તાળેf=) કાય એટલે દેહ. તેનું સ્થાન એટલે કાયાને ઊર્ધ્વ વગેરે રીતે રાખવી, અર્થાત્ કાયાને ઊભી રાખવી વગેરે અનેક રીતે કાયસ્થાન છે. પણ અહીંઊર્ધ્વસ્થાન (કાયાને ઊભી રાખવી) જ મુખ્ય કાયસ્થાન છે, અર્થાત્ ઊભા રહીને કાયોત્સર્ગ ક૨વાની પ્રધાનતા છે=ઊભા રહીને કાયોત્સર્ગ કરવો જોઈએ. ઉત્સર્ગથી ઊર્ધ્વસ્થાન વડે જ આ મારો કાયોત્સર્ગ જાણવો. મૌન એટલે વાણીનો નિરોધ= કશું બોલવું જ્ઞહિ. મૌન રૂપ ક્રિયાથી આત્માને વોસિરાવું છું. ધ્યાન એટલે પાંચ પરમેષ્ઠિની સ્તુતિ વગેરે પા૨મર્થિક ચિંતન. ધ્યાનરૂપ ક્રિયાથી આત્માને વોસિરાવું છું. આ પ્રમાણે ત્રણ ક્રિયાથી સહિત હું આત્માને વોસિરાવું છું. (૪૬૧ થી ૪૬૬)
कायं च वोसिरामी, ठाणाईएहिं करणभूएहिं ।
अप्पाणं ति य निययं, पयघडणा होइ एवं पि ॥ ४६७॥ कायं च व्युत्सृजामि स्थानादिकैः करणभूतैः । आत्मानमिति च निजकं पदघटना भवति एवमपि ।।४६७।।
ક્રિયાના સ્થાન વગેરે પ્રકારોથી કાયાને વોસિરાવું છું. ગપ્પાĪ એટલે પોતાની ક્રિયાના સ્થાન-મૌન-ધ્યાન એ ત્રણ પ્રકારથી પોતાની કાયાને વોસિરાવું છું. એ પ્રમાણે પણ પદઘટના થાય છે.
વિશેષાર્થઃ— “એ પ્રમાણે પણ પદઘટના થાય છે” એ સ્થળે ‘પણ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે– પૂર્વે ૪૬૨-૪૬૩ એ બે ગાથાઓમાં જે પદઘટના કરી તે પ્રમાણે પદઘટના થાય છે = થઈ શકે છે. અને આ ગાથામાં જે પદઘટના કરી તે પ્રમાણે પણ પદઘટના થાય છે થઈ શકે છે. ૪૬૨-૪૬૩ એ બે ગાથાઓમાં કરેલી પદઘટના અને
=
આ ગાથામાં કરેલી પદઘટનામાં તફાવત આ
૨૦૪