________________
ચૈત્યવદન મહાભાષ્ય
नो देहरक्खणट्ठा, आगारपरूवणा इमा किंतु । सुविशुद्धपालणट्ठा, भंगभया चेव भणियं च ॥४५६॥ आचार्य:नो देहरक्षणार्थमाकारप्ररूपणा इयं किन्तु । सुविशुद्धपालनार्थ भङ्गभयाच्चैव भणितं च ।।४५६।। वयभंगो गुरुदोसो, थेवस्स य पालणा गुणकरी उ । गुरुलाघवं च नेयं, धम्मम्मि अओ य आगारा ॥४५७॥ व्रतभङ्गो गुरुदोषः स्तोकस्य च पालना गुणकरी तु । गुरु-लाघवं च ज्ञेयं धर्मेऽतश्चाकाराः ।।४५७।। હવે આચાર્ય ઉત્તર આપે છે–
આગારોની આ પ્રરૂપણા શરીરના રક્ષણ માટે નથી, કિંતુ કાયોત્સર્ગનું સુવિશુદ્ધ પાલન થાય એ માટે છે, અને ભંગના ભયથી છે, અર્થાત્ કદાચ કાયોત્સર્ગનો ભંગ થઈ જશે તો ? એવા ભયના કારણે છે. કહ્યું છે કે નિયમભંગથી અશુભ કર્મબંધ વગેરે મોટા દોષો લાગે છે. કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધના છે. જ્યારે નાના પણ નિયમના પાલનથી કર્મનિર્જરા આદિ મહાન લાભ થાય છે. કારણકે તેમાં વિશુદ્ધ શુભ અવ્યવસાય હોય છે. ધર્મમાં લાભાલાભ જાણવો જોઈએ, અર્થાતુ ધર્મમાં લાભાલાભનો વિચાર કરી જે રીતે અધિક લાભ થાય તેમ કરવું જોઈએ. આથી જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે. '
વિશેષાર્થ:– કાયોત્સર્ગ કર્યા પછી સર્પ કરડે એથી સખત પીડા થાય કે પ્રાણ જાય. આ વખતે પીડાને દૂર કરવાનો કે પ્રાણને બચાવવાનો ઉપાય ન કરવામાં આવે તો સંભવ છે કે અસમાધિ થાય. અસમાધિ થાય તો અશુભ કર્મબંધ વગેરે ઘણું અહિત થાય. પણ જો પીડા દૂર કરવાનો કે પ્રાણ બચાવવાનો ઉપાય કરવામાં આવે તો અસમાધિ ન થાય. એથી કર્મબંધ વગેરે અહિતથી બચી જવાય અને સમાધિ દ્વારા કે વિશેષ આરાધના દ્વારા કર્મનિર્જરા વગેરે હિત સાધી શકાય. કાયોત્સર્ગમાં આગારો હોય તો જ આવા પ્રસંગે પીડાથી બચવાના ઉપાય કરીને અહિતથી બચી શકાય, અને
૨૦૦