________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
અરિહંતો ઘણા છે એમ જણાવવા માટે આવા આત્માદ્વૈત મતનું ખંડન કરવા અહીં ‘અરિહંતાણં' એમ બહુવચન છે. (૩૬૧) विसयबहुत्ते किरिया, भावुल्लासाओ बहुफला होइ । પળિવાવવુંકોવરિ, મન્નરૂ તદ્દા રૂમા ગાદી દ્દિશા विषयबहुत्वे क्रिया भावोल्लासाद् बहुफला भवति । પ્રવિાતવડોર્પોર મળ્યતે તસ્માવિર્ય ગાથા રૂદ્દરા.
“ને [5] અઞા સિદ્ધા” ફાત્રિ ।।
પૂર્ણમૂલમ્ -
*
जे अ अईआ सिद्धा, जे अ भविस्संतिऽणागए काले । संपइ अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥
વિષયના બહુપણામાં ભાવોલ્લાસથી ક્રિયા બહુફળવાળી થાય એ માંટે બહુવચન છે. તેથી પ્રણિપાત દંડક પછી ને ગ ગા સિદ્ઘા ઈત્યાદિ ગાથા છે. વિશેષાર્થઃ— અહીં જેને નમસ્કાર કરવાનો હોય તેને વિષય કહેવાય છે. અહીં અરિહંતોને નમસ્કાર કરવાનો છે. માટે અહીં વિષય એટલે અરિહંતો, અરિહંતોના બહુપણામાં એટલે ઘણા અરિહંતોને નમસ્કાર કરવામાં. એક અરિહંતને નમસ્કાર કરવાથી જે ફળ મળે. તેના કરતાં ઘણા અરિહંતોને નમસ્કાર કરવાથી વધારે ફળ મળે. એકને બદલે અનેકને નમસ્કાર કરવામાં મનમાં એમ થાય કે હું એક જ નમસ્કાર ક્રિયાથી અનંતા અરિહંતોને નમસ્કાર કરી રહ્યો છું. આથી ભાવોલ્લાસ વધે છે. ભાવોલ્લાસ વધવાથી ફળ વધારે મળે. આમ નમસ્કાર કરનારને બહુ ફળ મળે એ માટે ‘અરિહંતને’ નમસ્કાર હો એમ એકવચનને બદલે ‘અરિહંતોને’ નમસ્કાર હો એમ બહુવચન છે.
તથા ઘણા અરિહંતોને નમસ્કાર કરવાથી ભાવોલ્લાસના કારણે બહુ ફળ મળે એ માટે ને ઞ ઞઞા સિદ્ધા ઈત્યાદિ ગાથા છે. આ ગાથાનો અર્થ આ પ્રમાણે છે— “જે ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જે ભવિષ્યમાં સિદ્ધ થશે અને જે વર્તમાનમાં વિદ્યમાન છે તે સર્વ અરિહંતોને મન-વચન-કાયાથી વંદન કરું છું.
૧૬૨